પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૪
રાષ્ટ્રિકા
 


કાન્તનું સ્વર્ગપ્રયાણ


દિવ્ય

સ્વામીના સેવક વહાલા,
હો ગુર્જરીના મણિ કાન્ત[૧],
પ્રભુના અમૃતરસ પ્યાલા,
તેં પી પાયા મરણાન્ત ;
તુજ આત્મન્માર્ગ નિરાળા
ક્યાં શોધ્યા આખર શ્રાન્ત
છોડી જગપંથ નમાલા
ક્યાં જ‌ઇ પામ્યો એકાન્ત ?

વહાલા ! તુજ હૃદયસિતારે
જ્યાં છેડ્યા પૂર્વાલાપ,
મૃદુ ઝરતી અમૃતધારે
પળ ભૂલ્યા સૌ જગતાપ ;
તુજ અંગુલિ તારે તારે
ભરતી માધુર્ય અમાપ ;
ક્યાં જ‌ઇ શોધું જગઆરે
તુજ અદ્‌ભૂત ગાનપ્રતાપ ?


  1. સ્વર્ગસ્થ કવિ મણિશંકર રતનજી ભટ્ટ.