પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કથાનક ગીતો
૫૫
 


મેવાડ રત્ન શું ખોશે, સ્નેહના મંત્ર શેં સર્યા ?
સૂર્યને ચંદ્રના જેવા રાજપૂત્રો પ્રભાભર્યા ! ૯
ક્રોધ છે સ્નેહનો વૈરી, અગ્નિમાં બધું બાળતો :
નરકસાથી એ ક્રોધ પ્રજળે ને પ્રજાળતો. ૧૦


(દ્રુતવિલંબીત)

નથી નથી હઠતા કુંવરો જરા,
ઉભય યુદ્ધકલાવિષયે પૂરા;
કુલપુરોહિત આવી જુએ તહીં,
સકળ નાશ થતું દિસતું જહીં. ૧૧

સ્થિતિ વિચિત્ર જણાય વિલોકતાં,
યુગલ તે અટકે નહિ રોકતાં;
ઉભયને અતિ આકુલ આર્જવે
શમન કાજ પુરોહિત વિનવે. ૧૨

સફળ યત્ન જરાય જણાય ના,
વિકૃત બુદ્ધિથી કાંઇ સુણાય ના :
કુલપુરોહિત દીન વિમાસતો,
હૃદય ના સમજે વિધિપાશ તો. ૧૩