આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ઢાળ
જે બ્રહ્મ જાણે તે જ બ્રાહ્મણ, જન્મ સાચો શુદ્ધ;
સંસ્કારથી દ્વિજ વેદાભ્યાસે, વિપ્ર માને બુદ્ધ. ૩
હરિ લહે તે શ્રુતિ ઊચિત બ્રાહ્મણ, બીજા કહેવા માત્ર;
જ્યમ પયપીયુષ કહેવાય પણ જીવે મૃતક નવ માત્ર. ૪
એમ સુણી બોલ્યો શિષ્ય, બ્રાહ્મણ સર્વ સરખાં પાત્ર;
એ ઈશ્વર કેરાં રૂપ તે કયમ, કઠણ કરવા માત્ર ? ૫
એમ સુણી શ્રીગુરુ ઉચ્ચર્યા, તુ સમજતો નથી બાળ;
સુણ્ય શંકર સ્વામી વજ્રસૂચિ ગ્રંથે કહ્યું તત્કાળ. ૬
જો કહેશ બ્રાહ્મણ દેહ તો, સંભવ સંકટ જાગે;