પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

એ તત્વ ટુંપણું તુચ્છ લાગે, પ્રેમરસ પીનાર;
હરિ દે ન લે જલ્લવન સરખી, મુક્તિ માને ચાર.
ઢોકલા સરખી મુક્તિથી, જન પ્રેત થાય પ્રસન્ન;
જે ભક્તિ ઘેબર ભોગિયા, તેનું ન માને મન.
નિત્ય સેવક સ્વામિભાવ વણ, અન્યથા નથી આનંદ;
પણ પય પચે માર્જાર, પાયસાન્ન ન પચે રતિમંદ.
પોતા સરીખો પ્રભુ કરે પણ, ન આપે નિજ ભક્તિ,
તે દયાપ્રીતમ પ્રાણ પ્રિય, જેહને દૃઢ સ્વરૂપાસક્તિ.

પદ ૫૪ મું

રૂડી રસાળી શ્રી હરિભકિતજી, સકળ શિરોમણી વિશ્વે વ્યક્તિજી;
ભક્તિ યુક્તથી ભુવન પવિત્રજી, માધવ માને મનથી મિત્રજી.