આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
તે ઉપર આવે આસક્તિ, પછી વ્યસનાવસ્થા થાય;
તે ઉપર તન્મયતા ખરી, વળતી ન કાંઈ કહેવાય. ૬
પ્રેમની અવસ્થા ચાર છે, આસક્તિ ત્રણ વિવેક;
છે વ્યસનની બે અવસ્થા, પછી તન્મયતાની એક. ૭
એ દશ અવસ્થા થઇ તેના, પ્રકટ ભાખું નામ;
જન દયાપ્રીતમ કૃષ્ણહેતુ ભોગવી છે વ્રજવામ. ૮
પદ ૫૮ મું
દગરુચિ સ્મૃતિ અભીલાષોદ્વેગજી, પ્રેમાવસ્થા એ ચો નેગજી;
આસક્તિ ત્રિવ્યાધિ પ્રલાપજી, ઉન્માદસહ ત્રીજી અલાપજી. ૧