પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પદ ૮૧ મું

કૂટસ્થ લગી છે ગણિતાનંદજી, તો શું લેખું સુરસુખ મંદજી;
કહેશે ગણિત શી રીતે જાણુંજી, સુણ તે શ્રુતિનો અર્થ વખાણુંજી.
જેટલો આનંદ દેશાધિપજી, શત ગુણ તેથી નાયક દ્વીપજી;
ચક્રવર્તિને શતગુણ લહિયેજી, શત ગુણ તેથી સુરપતિ કહિયેજી.

ઢાળ

લહી ક્રમે શતગણું સુખ મહર્જન, તપવિધિ શિવલોક;
તે થકી છે શતગણો, મોક્ષાનંદ અક્ષર ઓમ્.
ગણના થઇ તે માટ ગણિતાનંદ કૃષ્ણ સદન;
એ આધ્યાત્મિક શ્રીસ્વરૂપ છે, જ્યહાં લીન મહામુનિજન.
છે તેથી શ્રીપુરુષોત્તમ, જ્યહાં આદિ વૃંદાવન;
લીલા અચલના વિહારી જ્યહાં ગમ્ય નહિ ગો મન.