પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

એ શ્રીવલ્લભકૃત પૃષ્ટિપથ શિવ બ્રહ્માનો ન પ્રવેશ,
વણશ્રમ મળે જન દયા-પ્રીતમ કૃષ્ણ શ્રી રાધેશ.

પદ ૮૪ મું

નામનિવેદન એ કુલદ્વારાજી, કરી હરિ ભજવા ભાવે દારાજી;
પુષ્ટ ભક્તનો કરવો સંગજી, પ્રતિપલ વાધે પિયુસું રંગજી.
સ્નેહ રાખવો પ્રભુપતિ જારજી, વાત્સલ્યતા તો બાલ પ્રકારજી;
ભય પણ ધરવો ભૂપ સમાનજી, નિશદિન કરવું હરિ ગુણગાનજી.

ઢાળ

ગુણ ગાન ગુરુ ગોવિંદનું, ધરવો વૈષ્ણવ વેશ;
હરિચંદન ભાલ સુભાગ્ય, ઊર્ધ્વપુંડ્ર વક્ર ન લેશ.
તે મધ્ય મુદ્રા ગોપીચંદન, ઉચિત દ્રાદશ અંગ;
શુભ કંઠ માલા તુલસીકાષ્ઠ, પવિત્ર અચલ પ્રસંગ
શ્રીગુરુ ગોવિન્દચરણામૃત, નિત્ય મહાપ્રસાદસું નેમ;