પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઢાળ

હોય કીધા વળી અપવાસ, લગી ખટ માસ રહી કો કષ્ટ;
તે હરી નૈવેદ્ય ભુકત્યાથી જ, કહ્યું હરિ સ્પષ્ટ
અચ્યુત અશન અવશેષ ભુક્તે, પ્રતિદિને જન જેહ;
શીંકે શીંકે પુણ્ય ચાંદ્રાયણતણું લે તેહ.
વ્રત નિયમ સહ અપવાસ, કૃચ્છ્ર ચાંદ્રાયણાદિ સુકર્મ;
નાનાવિધ મખ પુણ્ય જપ, હોમાદિ સાધે ધર્મ.
બ્રહ્મભોજન દાન તુલા પુરુષ સહુ તીર્થ સહ ફલ જેહ;
કૃષ્ણનું નૈવેદ્ય ભુક્તે, પ્રાપ્ત છે ફલ તેહ.
અર્પ્યું ન જે ગોવિંદને તે શ્વાનવિષ્ટા અન્ન;
જલ મુત્ર મદિરાતુલ્ય છે, ધિક્ ધિક્ ગ્રહે જે જન !
નૈવેદ્ય ઉદરે હૃદે, શિર પાદોદક મુખ નામ
શ્રીકૃષ્ણનું, તે દયાપ્રીત, કૃષ્ણ સમ શુચિ ધામ.

પદ ૯૫ મું

છે ગોપીચંદન શુચિ અત્યજી, કરે અગતિ જંતુની ગત્યજી;
જે કો શ્રદ્ધાથી પણ હીનજી, કાલ ક્રિયામાત્રે કરિ ક્ષીણજી.