પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વળી એજ વ્રતનો આશરો, નંદને દીઠો નાથ;
પ્રેરી વરુણ ચરણ બંધાવ્યા, વળિ લાવ્યા ગૃહિ હરિ હાથ.
વળી અંબિકા યાત્રા ગય, ત્યહાં ગળ્યા અજગર નંદ;
ફરી દયા પ્રીતમ છોડવ્યા તાવ સમજ્યા સહુ સુર મંદ.

પદ ૨૩ મું

અન્યાશ્રયનું ફળ છે એહવુંજી, નંદાદિકને દીઠું જેહવુંજી;
હરિને હિત ના આવે ત્યાંયજી, જેનું ચિત્ત હોય બહુ સુરમાંયજી.
પ્રાધૂર્ણિક બહુ ઘરનો હોયજી, મરે ક્ષુધાએ ન પૂછે કોયજી;
પુત્ર પુંશ્ચલી પિતતું કહે કહોનેજી, લાડ ઓલંભા કોઈ ન માનેજી.

ઢાળ

માને ન મન માધવ વિના, કહ્યું તેજ સાચો સંત;
નિજ પ્રાણ અધિકો લહે તેને ભક્તાધીન ભગવંત.
એમ સુણી બોલ્યો શિષ્ય, પ્રભુ સંશય રહે છે એક;
આપે કહ્યું તે ખરૂં, ભજવા એક હરિ ધરિ ટેક.
શ્રુતિ સ્મૃતિ દૃઢ થયું સંશય ન નિશ્ચે એવ;
છે એમ, તદપિ ઘણા જન ક્યમ ભજે ઇતર દેવ.
કેટલાક સુર દૃઢ એક, કેટલા નામે સઘળે શીશ;
તે ક્યમ હશે ગુરુજી કહો ઝળકે પ્રબળ જશ જગદીશ.