પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તે મધ્યથી રાધારમણ નિકળ્યા વૃંદામન;
જન દયા પ્રીતમ અદ્યાપિ સહ શિલા દે દરશન.

પદ ૩૨ મું

અરૂપ અગુણ તું કહે છે બ્રહ્મજી, તેથી અપ્ર છે પુરુષોત્તમજી;
દિવ્ય જન્મ ને કર્મ જેહનાંજી, પ્રાકૃત કહે ફુટ્યાં કર્મ તેહનાંજી.
મન વાણીથી પર અતિ ગૂઢજી, તેહને શું જાણે જન મૂઢજી;
રૂપ વિના કાંઇ નહિ સુખકારેજી, શાણા સમજે હ્રદે વિચારીજી.

ઢાળ

'વિચારી જોયું શ્રીગુરુ મેં' શિષ્ય બોલ્યો વાની'
'ગુણરૂપ વણ પ્રતિબિંબ સું મેં જુગતી જૂઠી જાણી.