આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જડ દુરાગ્રહ અલગો કરે તો, સાચું તે સમજાય. ૬
સાવયવને વિવર્ત હોય, નહિ નિરવયવને કોય;
સાચી જ વસ્તુ માંહે સાચો, તોય તેહને હોય. ૭
નિરરૂપ બ્રહ્મ દયાપ્રીતમ વણ, અવર હોય ન વસ્ત;
તો તેહને મન દૃષ્ટાંત કેરું, કથન પામે અસ્ત. ૮
પદ ૩૪ મું
જો ભવ જૂઠો નિસમ્દેહજી, તો આ જૂઠો ઠરીયો દેહજી;
તદા દેહની કૃતિ પણ જૂઠીજી, સાધન જૂઠે ગયું ફળ ઉઠીજી. ૧
વિના શરીર ન હોય જ્ઞાનજી, તે જૂઠે શોઇ મોક્ષ મહાનજી;
પ્રાપ્તિ સ્વપ્નમાં થઈ હોય ગર્થજી, જાગે ના સરે તેથી અર્થજી. ૨
ઢાળ
નિજ અર્થ સાચો સરે જે થકી, મળે પદ મહા મોહોટું.
તે તણું હેતુ શરીર સુંદર, ક્યમ કહીયે ખોટું? ૩
હરિ વસ્તુમાં મમતાપણું, તેટલું મિથ્યાજાણ;
વસ્તુનો નાશ નથી કદા તુંસત્ય કરી પરમાણ, ૪