પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પદ ૪૧ મું

કહેશ 'અવરનું વદ્યું ન સાચુંજી, વેદ કહે છે તે ક્યમ કાચુંજી?
તો તું બંધાયો મુખ તારેજી, કશું પણ કહેવું ન પડ્યું મહારેજી.
એક બ્રહ્મ ને બીજો વેદજી, સિદ્ધ કર્યો પરમેશ્વર ભેદજી;
જ્યહાં ત્યહાં સત્તા ત્રણ બતાવેજી, તેહેમાં મહોટો દોષ એ આવેજી.

ઢાળ

ત્યહાં આવે મહોટો દોષ એ, મન વચન તન જે થાય;
પંડિત પુરુષ એમ કહે છે, વ્યવહાર તે કહેવાય.
એ ત્રિસત્તામાં આવિયું, નથી પરસ્પર કાંઈ ભેદ;
એ તરેહ ધોબો ઘેર છે, સમજતાં થાશે ખેદ.