પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વળી જીવ તો છે અનીશ્વર ને, ઈશ્વર છે પરબ્રહ્મ;
તે ઉભયની એકતા, વિદ્વજ્જન કે કહો ક્યમ.
અણુ જીવ કર્માદિક વશ ભોગવે વિવિધ ક્લેશ
છે મહદ્બ્રહ્મ સ્વતંત્ર આનંદ કર્માદિક નહિ લેશ.
પડે સ્વર્ગ નરકમાં જીવ એ, સંસૃતિ વારંવાર;
જન દયાપ્રીતમ કૃષ્ણભક્તિ કરે પામે પાર.

પદ ૪૪ મું

જીવ મનોરથ કરે અનેકજી, પૂરો ન પડે તેમાં એકજી
બ્રહ્મ ચાહે તે તત્ક્ષણ હોયજી, તેને મેટી ન શકે કોયજી.
હું જ બ્રહ્મ છું જગમય કહે છે જી, જનનરકના ભોગને સહે છે જી;
મિથ્યા ગુરુ ને મિથ્યા જ્ઞાનજી, શિષ્ય મૃષા ક્યમ તે ગુરુધ્યાનજી. ૨

ઢાળ

ક્યમ ધ્યાન જૂઠા ગુરુનું આવે? ન સમજે બાળ;
રે શિષ્ય તું મા પડીશ, માયાવાદિ માયા જાળ.