આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પદ ૪૭ મું
કહેશો ક્યમ નહિ સમતા કોયજી, કહું સમજાવી સમજ ન હોયજી;
નિજ આજ્ઞા બ્રહમા તપ કીધોજી, રાસમંડળમાં ક્યારે લીધો જી? ૧
જોગ જુગતિમાં શંકર પૂરાજી, પરમ તત્ત્વમાં મન ચકચુરાજી;
ભુજ ધરી ગ્રીવા નંદકુમારેજી, ગાન કર્યું કહો હળીમળી ક્યારેજી? ૨
ઢાળ
જે ક્યારે બગદાલભ્યઋષિ ભિંજતા વૃષ્ટિ માંહે;
જો વ્રજપતિ ધરી ગિરિ, કર શિશ કીધી છાંહે. ૩
તપપુંજ દુર્વાસા ઋષિ, તૃણ દુર્વા નિત્યાહાર;
દુઃખી ચક્રાનલ દેખીને ક્યમ પીધો ન નંદકુમાર ? ૪