પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મુનિ માર્કંડેય જ્ઞાની યોગી, તેને નિજ ભરમાવ્યા;
શત કલ્પ વિત્યા જળ વિષે, તોહે વરુણથી ન મૂકાવ્યા.
નિજ ભક્ત વિરહે કૃષ્ણ કાતર, કૃપામય શ્રુતિગાય;
હરિ જીતવાનો શુદ્ધ ભક્તિ, સમ ન એકે ઉપાય.
કોટિ કલ્પ લગી તપ સમાધિ, ધ્યાનાદિક કરી કોય;
અઘરહિત જન થાયે તદા, ઉર ઉદયભક્તિ હોય.
તે પણ સહેતુ અહેતુકી હરિકૃપા વણ નવ થાય;
થઈ તદા દુર્લભ કશું નહિ, વશ દયાપ્રીતમ રાય.

પદ ૪૮ મું

કર્મજ્ઞાનનું ફળ ભક્તિજી, શ્રીગીતા શ્રીમુખ કરી વ્યક્તિજી;
કર્મ પૂર્વ ભાખ્યું પછી જ્ઞાનજી, છેલ્લી ભક્તિ કથી ભગવાનજી.
કર્મે કરવી સત્ત્વની શુદ્ધિજી, જ્યાંલગી હરિમાં લુબ્ધ ન બુદ્ધિજી;
શ્રવણાદિક શ્રદ્ધા જાગીજી, થવું કર્મથી પછી વીતરાગીજી.