લખાણ પર જાઓ

પૃષ્ઠ:Ravan Mandodari Samvad.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


મં-સાબાશ રે સ્વામિજી સત્ય શ્યામા કહે, રખે હવે દીલ થકી દીન થાતો;
શૂર મહા પૂરથી સુભટ સંગ્રામમાં, મમત કરી માંડ રણજંગ માતો;
અંતર બુધ એ હશે કામ નિરભે થશે, તો ટળે લોહનો પાશ તાતો;
અધિક કહું અંકમાં વાળિના વંકમાં, ચિત્ત માંહે રખે લંક ચહાતો. ૧૩૫

દોહરા.

રાવણ-પૂછે અઢારે વરણને, કહોને સાચી વાત;
સીતા આપવી કે નહીં, ખરી બતાવો ખાત. ૧૩૬
કોની રગતી રાખશો, બોલો રુડી વાણ;
સત પ્રકારે સાચું કહો, ન થાયે હાંસુ કે હાણ. ૧૩૭
વેવાર વાત સહુને ગમે, એહ અક્ષર એહ આંક;
રુડી કહો એ વારતા, કોય ન કાઢે વાંક. ૧૩૮
મન ગમતું કરજો તમે, એ વાતે નહિ રીશ;
ખરી વાતે નહિ ખરખરો, તે જાણે જગદીશ. ૧૩૯
કવિ-અઢારે વરણ હવે બોલશે, પોતાને સુખતી પેર;
પોતે બેઠો સાંભળે, તેહ ઠામ તે ઠેર. ૧૪૦
સંવાદ આ જે સાંભળે, તેને પરમેશ્વર પ્રસંન;
ગાય શીખે હેતે કરી, છે રેવાનાં દર્શન. ૧૪૧
પિતા પુરષોત્તમ તણો, કહે કવિ સામળદાસ;
શ્રોતા વક્તા સમજતા, કહે કવિતા કર જોડ;
સામળ કહે સહુ બોલજો, જયજય શ્રી રણછોડ.

ચોખરો.

રા-વિચાર પૂછ્યો એક વિપ્રને વિધવિધે, મહારાજ મહિમા કહો મંન માની;
આપવી એ ઘટે કે નહિ આપિયે, દલ તમારે કશી બુધ્ય દાની;
વિપ્ર-મહિપતિ માન મટકાવિયે કેમ કરી, લાજ ઘટાવિયે હોડ હાની;
પાછી આપતામાં પરાક્રમ તે કશું, ભીખ તેને પછે ભૂખ શાંની. ૧૪૪

સવૈયો.

વૈષ્ય-વૈષ્ય કહે વેવાર એ પાખી છે, આપતે લાજ છે પરિયામાં
અથડાવો દહાડા દશ વિશેક, હાલક બુકાલેક કરિયામાં;