પૃષ્ઠ:Ravan Mandodari Samvad.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

<poem>

મં-સાબાશ રે સ્વામિજી સત્ય શ્યામા કહે, રખે હવે દીલ થકી દીન થાતો; શૂર મહા પૂરથી સુભટ સંગ્રામમાં, મમત કરી માંડ રણજંગ માતો; અંતર બુધ એ હશે કામ નિરભે થશે, તો ટળે લોહનો પાશ તાતો; અધિક કહું અંકમાં વાળિના વંકમાં, ચિત્ત માંહે રખે લંક ચહાતો. ૧૩૫ દોહરા. રાવણ-પૂછે અઢારે વરણને, કહોને સાચી વાત; સીતા આપવી કે નહીં, ખરી બતાવો ખાત. ૧૩૬ કોની રગતી રાખશો, બોલો રુડી વાણ; સત પ્રકારે સાચું કહો, ન થાયે હાંસુ કે હાણ. ૧૩૭ વેવાર વાત સહુને ગમે, એહ અક્ષર એહ આંક; રુડી કહો એ વારતા, કોય ન કાઢે વાંક. ૧૩૮ મન ગમતું કરજો તમે, એ વાતે નહિ રીશ; ખરી વાતે નહિ ખરખરો, તે જાણે જગદીશ. ૧૩૯ કવિ-અઢારે વરણ હવે બોલશે, પોતાને સુખતી પેર; પોતે બેઠો સાંભળે, તેહ ઠામ તે ઠેર. ૧૪૦ સંવાદ આ જે સાંભળે, તેને પરમેશ્વર પ્રસંન; ગાય શીખે હેતે કરી, છે રેવાનાં દર્શન. ૧૪૧ પિતા પુરષોત્તમ તણો, કહે કવિ સામળદાસ; શ્રોતા વક્તા સમજતા, કહે કવિતા કર જોડ; સામળ કહે સહુ બોલજો, જયજય શ્રી રણછોડ.

ચોખરો. રા-વિચાર પૂછ્યો એક વિપ્રને વિધવિધે, મહારાજ મહિમા કહો મંન માની; આપવી એ ઘટે કે નહિ આપિયે, દલ તમારે કશી બુધ્ય દાની; વિપ્ર-મહિપતિ માન મટકાવિયે કેમ કરી, લાજ ઘટાવિયે હોડ હાની; પાછી આપતામાં પરાક્રમ તે કશું, ભીખ તેને પછે ભૂખ શાંની. ૧૪૪

સવૈયો. વૈષ્ય-વૈષ્ય કહે વેવાર એ પાખી છે, આપતે લાજ છે પરિયામાં અથડાવો દહાડા દશ વિશેક, હાલક બુકાલેક કરિયામાં;