પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

१३६–कर्मदेवी

ચિતોડ રજપૂતાનાનું મુકુટમણિ છે. મેવાડ રાજ્યનું જયનિકેતન છે. ચિતોડનો રાણો સમરસિંહ જેવી રીતે બહાદુરી અને રણ કૌશલમાં પ્રખ્યાત હતો, તેવીજ રીતે ધાર્મિકતા અને ચરિત્રની પવિત્રતાને લીધે રૈયતમાં ઘણો શ્રદ્ધાભાજન બન્યો હતો. કવિ ચંદ એનો પરિચય આપતાં કહે છે કે, “રાવલ સમરસિંહ શૂરવીર, શાંત સ્વભાવના અને ધાર્મિક પુરુષ હતા. યુદ્ધમાં જેટલા કુશળ હતા, તેટલાજ રાજકાજમાં સલાહ આપવામાં ચતુર અને ઉત્તમ વક્તા હતા. એમના ઉપર બધા સામંતોનો પૂરો વિશ્વાસ અને પ્રેમ હતો. ચૌહાણ રાજા પૃથ્વીરાજ પણ એમને ઘણા પૂજ્યભાવથી જોતા હતા. શકુન જોવામાં, ઘોડા દોડાવવામાં, ભાલા મારવામાં અને લશ્કર ગોઠવવામાં સમરસિંહ એક્કા હતા, વિશ્રામના સમયમાં કે લડાઈના સમયમાં સામતોને સલાહ લેવાનું ઠેકાણું સમરસિંહનો તંબુ જ હતો. રાજનીતિના સંબંધમાં મેં મારા ગ્રંથમાં જે કાંઇ લખ્યું છે, તેનો ઘણોખરો ભાગ સમરસિંહના ઉપદેશથી લખ્યો છે.” એમ કહેવાય છે કે, ધર્મતેજને લીધે તેમના શરીરમાં એક અપૂર્વ જ્યોતિ દેખાતી, એટલા માટે લોકો તેમને યોગીંદ્ર કહેતા. મહાવીર સમરસિંહ પૃથ્વીરાજની બહેન પૃથાને પરણ્યા હતા. શાહબુદ્દીન ઘોરીની સાથેના યુદ્ધમાં સમરસિંહે પૃથ્વીરાજના પક્ષમાં લડીને અસાધારણ વીરતા બતાવી હતી અને પાંચ હજારથી વધારે મુસલમાન સૈનિકોનો નાશ કરીને વીરગતિને પામ્યા હતા. એ યુદ્ધમાં પતિ અને ભાઈ માર્યા ગયાના સમાચાર મળતાં, પતિવ્રતા રાણી પૃથા ચિતામાં પ્રવેશ કરીને સતી થઈ ગઈ હતી.

સમરસિંહને પૃથા ઉપરાંત એક બીજી રાણી હતી. તેનું નામ કર્મદેવી હતું. એ આપણા અણહિલપુર પાટણના ચૌલુક્યવંશી

૩૧૩