પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૨
૩૭૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



રજપૂતોને વધારે લાંબો ઉપદેશ આપવાની જરૂર પડી નહિ, તરતજ એમણે વચન આપ્યું કે, “રાણા હમીર ચિતોડમાં પધારશે તો અમે બધા તેમને મદદ કરીશું.”

આ સમાચાર હમીરને પહોંચાડવામાં આવ્યા.

જરા પણ વિલંબ કર્યા વગર હમીર પોતાના લશ્કર સાથે ચિતોડ પહોંચ્યો. ચિતોડવાસી રજપૂત સરદારોની સહાયતાથી થોડાજ વખતમાં ચિતોડ હમીરના કબજામાં આવ્યું અને ફરીથી ચિતોડમાં રણા વંશનો અધિકાર સ્થાપિત થયો.

લક્ષ્મણસિંહ અને તેના અગિયાર પુત્રોના રક્તદાનથી ચિતોડની અધિષ્ઠાત્રી દેવીની રક્તપિપાસા શાંત કરવામાં આવી હતી, તેનું ફળ આજે આટલે બધે દિવસે મળ્યું.

હમીર સંવત ૧૩પ૭ (ઈ. સ. ૧૩૦૧) માં ગાદીએ બેઠો અને ૬૪ વર્ષ સુધી રાજ્ય કરીને ઈ. સ. ૧૩૬પ માં મૃત્યુ પામ્યો હતો.