પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



१५०–साधुपत्नी कर्मदेवी

રાજસ્થાનના ઉત્તર ભાગમાં અરિન્ત નામના નાના શહેરમાં મોહિલ નામની એક રજપૂત જાતિ રહેતી હતી. એ નગરમાં મોહિલરાજ માણિકરાવ રાજ્ય કરતો હતો.

કર્મદેવી એ માણિકરાવની કન્યા હતી.

પુગલ નામનું એક બીજું નાનું શહેર હતું. ભટ્ટી વંશનો રાજા રણંગદેવ એ વખતે પુગલમાં રાજ્ય કરતો હતો. રણંગદેવનો પુત્ર સાધુ ઘણો બળવાન અને પરાક્રમી હતો. એક દિવસ પોતાના વીર સહચરોને લઇને એ કોઇ યુદ્ધમાંથી પાછો આવતો હતો, સિંધુ નદીના કિનારા સુધીનો બધો દેશ કુમાર સાધુના પ્રતાપથી કંપતો હતો. સાધુના વીરત્વની વાત ચારે દિશામાં પ્રસરી ગઈ હતી. વીરાંગના કર્મીદેવી સાધુની વીરતાની પ્રશંસા સાંભળીને મનમાં ને મનમાં તેના ઉપર આસક્ત થઈ.

મેવાડના રાણાઓ ગુહિલોત વંશના છે, એ કુળ સૂર્યવંશની એક શાખા ગણાય છે. મારવાડના રાઠોડો પણ સૂર્યવંશની એક બીજી શાખા મનાય છે. ૨જપૂતોમાં સિસોદિયા રજપૂતોનું કુળ સર્વશ્રેષ્ઠ ગણાય છે, ત્યાર પછી રાઠોડોનું કુળ છે. એ સમયમાં મારવાડના રાઠોડ રાજાઓની રાજધાની મુંદર નગરમાં હતી. પાછળથી જોધસિંહ નામના એક રાજાએ પોતાની રાજધાની જોધપુરમાં સ્થાપી હતી. મુંદરરાજ ચંડના પુત્ર અરણ્યકદેવ સાથે અરિન્તરાજ માણિકરાવની કન્યા કર્મદેવીની સગાઈ થઈ હતી. રાઠોડવંશમાં કન્યા આપ્યાથી પિતાની પ્રતિષ્ઠા વધશે એમ ધારીને કન્યાનો મત જાણ્યા વગર તેણે એ સગપણ બાંધ્યું હતું.

એ સમયમાં કોઈ યુદ્ધમાંથી પાછા ફરતી વખતે કુમાર સાધુ અરિન્ત નગરમાં આવી પહોંચ્યો. માણિકરાવે એ પ્રખ્યાત વીરનું ઘણું સન્માન કરીને તેને પોતાના નગ૨માં આવવા માટે વિનંતી કરી.

ભા–૩૨
૩૭૩