१५१—साध्वी. रौशनआरा
જે રમણી રત્નનું જીવનચરિત્ર અને અહીયાં આપવા માગીએ છીએ તે મોગલ સમ્રાટ ઔરંગઝેબની બહેન રૌશનઆરા નથી, પણ એક બીજીજ સન્નારી છે. એ પવિત્ર હૃદયની સ્ત્રીનું સમાધિમંદિર–‘રોજો’ બંગાળામાં રજ પરગણામાં બસિર હાટ જિલ્લામાં, કાખુલિયા પરગણામાં, તારા ગુણિયા નામના ગામમાં આવેલ છે અને હજી પણ સાતસો વર્ષ પહેલાંના ઇતિહાસનું સ્મરણ કરાવે છે, પણ એ સન્નારી કોણ હતી અને કેવી રીતે તારાગુણિયા ગામમાં આવી વસી તેનો ઇતિહાસ નીચેના વૃત્તાંત ઉપરથી જણાશે.
ઈ○ સ○ ૧૨૭૯ માં મક્કાના જમજમ મહોલ્લામાં એનો જન્મ થયો હતો, એ વિદુષી મહિલાનું ખરૂં નામ રૌશનઆરા હતું, પણ જનસમાજમાં રોશનબીબીના નામથી પ્રસિદ્ધ થઈ છે. એના પિતાનું નામ સૈયદ કરિમ ઉલ્લા અને માતાનું નામ મિન્નત ઉન્નિસા હતું. એનાં માતપિતા બંને વિદ્વાન અને ધર્મશીલ હતાં. પુણ્યાત્મા સૈયદ કરીમ ઉલ્લાને ચાર સંતાન હતાં. પ્રથમ સંતાન બંગ દેશમાં પ્રખ્યાત થયેલા પીર હજરત સૈયદ અબ્બાસ અલી ઉર્ફે ગોરાચાંદ શાહ હતા. આપણી ચરિત્રનાયિકા તપસ્વિની રૌશનઆરા તેમના સંતાનોમાં બીજી હતી. રૌશનઆરા તથા એમના બે નાના ભાઈ રાજર્ષિ શાહજલાલના આશીર્વાદથી જન્મ પામ્યા હતા, એવી દંતકથા છે.
ઈ○ સ○ ૧૨૬૫ માં શાહ ગોરાચાંદ ઉર્ફે સૈયદ અબ્બાસઅલીનો જન્મ થયો હતો અને ૨જ પરગણામાં હાડોયા ગામમાં હજુ પણ તેમનું સમાધિમંદિર છે. ગોરાચાંદના જન્મના ૧૪ વર્ષ પછી ઈ○ સ○ ૧૨૭૯માં પુણ્યશીલા, વિદુષી તપસ્વિની ચિરકૌમારવ્રતધારિણી રૌશનઆરાનો જન્મ થયો હતો.
રૌશનઆરાના હૃદયમાં બાલ્યાવસ્થાથીજ ધર્મભાવ જાગૃત