પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૦
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો


ચંડીદાસે જ્યારે ચિતામાં શયન કર્યું. ત્યારે રામમણિએ ઉન્મત્ત થઈને એક હૃદયદ્રાવક ગીત ગાયું હતું.

ચંડીદાસ એક ધોબણ (રામમણિ) ના ઉપર આસક્ત થઈ ગયા એ આરોપ મૂકીને ગામના બ્રાહ્મણોએ તેમને ન્યાતબહાર મૂક્યા હતા અને પૂજારીપદ ઉપરથી પણ કાઢી મૂક્યા હતા; પરંતુ એ આરોપ મિથ્યા હતો. ચંડીદાસે રામમણિને ભાવના આવેશમાં કદી માતા તરીકે અને ગુરુ તરીકે સંબોધન કર્યું છે.

ચંડીદાસ અને રામમણિના પ્રેમમાં કોઈ પણ જાતનો વિકાર નહોતો, એ વાતની સાક્ષી તેનાં રચેલાં બંગાળી પદોમાંથી સારી પેઠે મળી આવે છે. પ્રેમની નિર્મળ જ્યોતિથી રામી (રામમણિ) ધોબણે પોતાના ચરિત્રને ધોયું હતું.

१५९–१६२–इंदुमुखी, माधुरी,
गोपी अने रसमयी

ભારતવર્ષના પ્રત્યેક પ્રાંતમાં સ્ત્રીકવિઓ થતી આવી છે. આ પુસ્તકમાં આપણા ગુજરાતની તથા ઉત્તર હિંદુસ્તાનની કેટલીક સ્ત્રીકવિઓનો થોડોઘણો પરિચય અમે આપી ચૂક્યા છીએ. બંગાળા પ્રાંતમાં પ્રાચીન સમયમાં પણ કેટલીક ઉત્તમ કવિઓ થઈ ગઈ છે. તેમાંની એક સ્ત્રીકવિ રામમણિનો થોડો ઘણો વૃત્તાંત અમે ઉપર આપી ગયા છીએ. બંગાળી ભાષામાં ઉપર જણાવેલી ચાર સન્નારીઓએ પણ ઈશ્વરભક્તિ સંબંધી સારી કવિતાઓ લખી છે. વૈષ્ણવોના ગ્રંથોમાં તેમણે રચેલાં બંગાળી પદ મળી આવે છે, પરંતુ તેમનું જીવનચરિત્ર મળી આવતું નથી, છતાં પણ જે સ્ત્રીરત્નોએ પોતાની પ્રાસાદિક વાણીથી ભગવાનના ગુણાનુવાદ ગયા છે, તથા જેમના ઉપદેશથી આજ પણ અમારી અનેક બહેનો ભગવ૫રાયણ બને છે, તેમનાં નામ માત્રનો પણ ઉલ્લેખ કરીને અમે કૃતાર્થ થઈએ છીએ.