પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

१६५-गुन्नोरनी राणी

ધ્ય હિંદુસ્તાનમાં હાલના ભોપાળ શહેરની પાસે ગુન્નોર નામનું એક નાનું હિંદુ રાજ્ય હતું. જે વખતે એક પછી એક હિંદુ રાજ્યો મુસલમાનોના તાબામાં આવવા માંડ્યાં હતાં, તે સમયે નાનાસરખા ગુન્નોરના રાજ્યે પોતાની સ્વતંત્રતા જાળવવા ધૈર્યપૂર્વક પ્રયત્ન કર્યો હતો. એ સમયમાં દિલ્હીમાં પઠાણોનું રાજ્ય રહ્યું નહોતું. મોગલાનાં ઝુંડનાં ઝુંડ પરદેશમાંથી આ દેશમાં આવવા લાગ્યાં હતાં. પઠાણો પર વિજય મેળવીને તેઓ ભારતવર્ષમાં પોતાના રાજ્યનો વિસ્તાર વધારતા હતા, પઠાણોને જ્યારે મોગલોના ત્રાસથી દિલ્હી છોડવું પડ્યું, ત્યારે તેઓ ભારતવર્ષના બીજા પ્રાંતોમાં અધિકાર જમાવવા નીકળ્યા. માળવા, ગુજરાત, વગેરે પ્રાંતોમાં જઈને તેઓ ત્યાંના નાના નાના હિંદુ રાજાઓને પરાજિત કરીને તેમનાં રાજ્યો પડાવી લેતા. આ પ્રમાણે દિલ્હીમાંથી નાઠેલો એક પઠાણ પોતાના સાથીઓ સાથે ગુન્નોર રાજ્યમાં આવ્યો અને ત્યાં આગળ મુસલમાનોનું રાજ્ય સ્થાપવાનો પ્રયત્ન કર્યો. એણે ધાર્યું હતું કે, ગુન્નોર નાનું સરખું રાજ્ય હોવાથી એને સર કરવામાં વિશેષ પરિશ્રમ પડશે નહિ, પરંતુ યુદ્ધ આરંભ્યા પછી એને ખબર પડી કે, ગુન્નોરને કબજે કરવું એ નાનુંસૂનું કામ નથી. શત્રુના આક્રમણના સમાચાર મળતાંવારજ ગુન્નોરના રાજા પોતાના સૈન્ય સાથે પઠાણની સામે યુદ્ધ કરવા ગયો અને પઠાણસૈન્યને એક એક ડગલું આગળ વધતાં ત્રાહે ત્રાહે પોકારાવી; પરંતુ મુસલમાનોનું સૈન્ય પ્રબળ હતું. એનો પરાજચ કરવાને ઘણાએ પ્રયત્ન કર્યા છતાં રાજા પોતાના ઉદ્દેશમાં સફળ થયો નહિ અને પોતાના અનેક વીર સૈનિકો સાથે રણભૂમિમાંજ મરણ પામ્યો.

૪૦૭