કે, “મીરાં સ્વર્ગમાં ગઈ હશે કે નરકમાં ?” મહારાજે પૂછ્યુ: “શા માટે ?” દરબારીએ જવાબ આપ્યો: “એ પદમાં પતિની નિંદા કરવામાં આવી છે, જેમકે—
“અબ નહિ રહું રાણા મૈં હટકી, મન લાગો ગિરિધરસું,
રાણાજી મેવાડો માકો કાંઈ કરસી;
હથ લેવો રાણા સંગ, જુડિયો ગિરિધર ઘર પટરાણી.”
મહારાજાએ કવીન્દ્ર જોશી શંભુદત્તજીની તરફ જોયું તો એમણે વિનતિ કરી જણાવ્યું કે, “અન્નદાતાજી ! એવા ભાવનાં ભજનો બોડકાઓ (સાધુઓ)નાં ઘડી કાઢેલાં છે. મીરાંબાઈ તો ઘણી મોટી સતી અને પતિવ્રતા હતી; એ શા સારૂ આવું આડુંઅવળું ભાષણ કરે ? એમણે તો ગીતગોવિંદની ટીકા રચી છે, એ પુસ્તક મંગાવીને આપ વાંચી જુઓ, એટલે આપને મીરાંબાઈનાં વિચાર અને આચરણ સ્પષ્ટ જણાઈ આવશે.”
મહારાજાએ એ ગ્રંથ મંગાવીને વાંચ્યો, તો એમાં એ ભજનોને મળતો આવતો ભાવ કંઈ દીઠામાં ન આવ્યો. રાજાની સભાના બધા સભાસદોને જોશીના કથન ઉપર વિશ્વાસ બેસી ગયો કે, સાધુઓએ એમના નામથી ઘણાં જૂઠાં પદ બનાવ્યાં છે. ઘણો ઊંડો વિચાર કર્યાથી જણાઈ આવે છે કે, એ પદમાંની કવિતા પણ કાંઈ ઊંચા પ્રકારની નથી, મીરાંબાઈ તો મોટી પંડિતા હતી અને તેની કવિતા પણ ઘણીજ સુંદર, પ્રાસાદિક અને ભક્તિરસપ્રચૂર હતી, મીરાંબાઈને નામે કપોલકલ્પિત ભજનો એટલાં બધાં પ્રચલિત થયાં છે કે એમાં એની મહત્તા અને પ્રતિભાસૂચક અસલ પદો ઢંકાઈ ગયાં છે.
મીરાંબાઈનાં બે અસલી પદ કાંચન કવિરાજ રાજાજી શ્રીસોહનસિંહજી સાહેબે પોતાના હાથથી નકલ કરીને મુનશી દેવીપ્રસાદજીને આપ્યાં છે. સોહનસિંહજી મહારાજ માનસિંહજીના પુત્ર હતા. એ પદ મોકલી આપતી વખતે તેમણે લખ્યું છે કે, “પહેલું પદ શ્રી મીરાંબાઈ દ્વારિકાના મંદિરમાં દર્શન કરવા પધાર્યાં તે વખતે ગાયું હતું અને બીજું પદ લય થતી વખતનું છે.
હરિ કરિહો જનકી ભીર.
દ્રોપદીકી લાજ રાખી, તુમ બઢાયો ચીર;
ભક્ત કારણરૂપ નરહરિ ધ આ૫ શરીર.