પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



१११ – कलावती

કવિ કાલિદાસની કન્યા હતી. પિતાની પેઠે સુશિક્ષિત અને ઘણી ચતુર હતી. એની બુદ્ધિ ઘણી તીવ્ર હતી. પિતાને સાહિત્યચર્ચામાં એ ઘણી વાર મદદરૂપ થઇ પડતી.

એક સમચે ભોજરાજા નદી કિનારે ગયો હતો. ત્યાં એક સુંદર યુવતીને નદીના પૂરમાં તણાઈ આવતી જોઈ. રાજાએ નદીમાં પડીને તેને કિનારે ખેંચી આણી. તેની મનોહર કાંતિ જોઈને એ મોહિત થઈ ગયો અને તેની સાથે વિષયભોગ કર્યો. કામનો કેફ ઉતરી ગયા પછી જોયું તો એ મરી ગયેલી જ જણાઈ. શબની સાથે પોતે ક્રીડા કરી તેથી રાજાને ઘણો જ પશ્ચાત્તાપ થયો, નોકરોને આજ્ઞા આપી, એક રાણીને છાજે એવી રીતે તેનો અન્ત્યેષ્ટિસંસ્કાર કરાવ્યો.

રાજમહેલમાં જઈ ને ભોજરાજાએ કવિ કાલિદાસને પૂછ્યું:
“मनोहीना विपयादिताताः कामस्य सत्यं जनकः कचे क:।
“હે કવિરાજ ! કામદેવને જન્મ આપનાર તો રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ વિષયો છે, અર્થાત્‌ એને ઘણા જનક છે, પણ એમાં ખરો જનક કોણ ? ”

રાજાનો આ પ્રશ્ન સાંભળી કાલિદાસ વિચારમાં પડ્યો, પણ કાંઈ ઉત્તર સૂઝ્યો નહિ. આથી તેણે આઠ દિવસની મુદત માગી. આઠમે દિવસે કાંઈ પણ ખુલાસો નહિ સૂઝવાથી એ ઘણા ઊંડા વિચારમાં પડ્યો હતો. એવામાં એની પુત્રી કલાવતી ત્યાં આવી અને પિતાના શોકનું કારણ પૂછવા લાગી.

કાલિદાસે કહ્યું: “ અનેક ગ્રંથો ફેંદી નાખ્યા પણ જેનો ખુલાસો મળતો નથી એવા પ્રશ્નનો ઉત્તર તું શો આપવાની છે ?"

કલાવતીએ કહ્યું: “ કેટલીક વખત મહાન વિદ્વાનો જેમાં

૨૨૩