પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૯
મોરિકા


 એનો બીજો પ્રસિદ્ધ શ્લોક આ મુજબ છે:–

लिखति न गणयति रेखा निर्भरबाष्पाम्बुधौतगण्डतला।
अवधिरिव सावसानं माभूदिति शंकिता बाला ॥

પતિ પરદેશથી થોડાકજ દિવસોને માટે ઘેર આવ્યો છે. બાલા નાયિકાની આંખોમાંથી આંસુની ધારા વહી રહી છે, જેથી તેના ગાલ તદ્દન ધોવાઈ ગયા છે. એ અવધિના દિનોની લીટીઓ દરરોજ ખેંચતી તો જાય છે, પણ ગણતી નથી. મનમાં ડર છે કે રખેને દહાડા પૂરા થઈ જાય અને પ્રિય પતિના જવાનું અસહ્ય દુઃખ હમણાંજ ઉપસ્થિત થાય. આ પદ્યમાં નાયિકાના કોમળ હૃદયનો પરિચય સારી રીતે આપવામાં આવ્યો છે. ત્રીજા શ્લોલેક આ પ્રમાણે છેઃ

प्रियतमस्त्वमिमामनघार्हसि प्रियतमा च भवन्तमिहार्हति ।
नहि विभाति निशारहित: शशी न च विभाति निशापि विनेन्दुना ।!

દૂતિ નાયકને રામજાવી રહી છે કે, “હે પ્રિયા ! આ નાયિકાને યોગ્ય છે અને એ પણ તારેજ યોગ્ય છે. જુઓ, રાત્રિ વગર ચંદ્રમાની શોભા નથી હોતી અને રાત પણ ચંદ્રમા વગર શોભતી નથી.”

નાયક પરદેશમાં જવાને તૈયાર છે. એની ખબર મળતાંજ નાયિકાની કેવી કરુણા જનક દશા થઈ જાય છે ! દૂતી નાયિકાની એ વિયોગદશાની ખબર આપી રહી છે:-

मा गच्छ प्रमदाप्रिय प्रियशतैर्भूयस्त्वमुक्तो मया
बाला प्राङ्गणभूगतेन भवता प्राप्नोति निष्ठां पराम्।
किंचान्यत् कुचभारपीडनसहैर्यत्नप्रबद्धैरपि
त्रुट्यत्कंचुकजालकैरनुदिनं निःसूत्रमस्मद्गृहम् ।।

“હે પ્રમદાપ્રિય! પરદેશ ન જાઓ. સેંકડો વાર હું તમને આજીજી કરી ચૂકી છું. (તમારી પ્રિયતમા તમારે માટે બહુજ પ્રેમ ધારણ કરે છે. હું એની વિષમ દશાનું કેવી રીતે વર્ણન કરૂં?) તમે આંગણામાં પગ મૂકો છો, ત્યારે એ બાળા શ્રેષ્ઠ નિષ્ઠાને પામે છે અને એનાં સ્તનો બહુ મજબૂતીથી બાંધવા જતાં એના ભારને લીધે કંચુકીની કસો હમેશાં તૂટી જાય છે, એથી અમારા ઘરમાં દોરો ખૂટી ગયો છે."