પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૩
શીલા ભટ્ટારિકા


રાજકુમાર ચંદ્રાદિત્યની મહારાણી ‘વિજય ભટ્ટારિકા અને આ વિજ્જકાને એક માનીને એનો સમય ઈ. સ. ૬૬૦ નો માનવામાં આવ્યો છે; કેમકે વિજય ભટ્ટારિકાના લેખ એજ સમયના મળી આવે છે. કેટલાક વિદ્વાન એથી ઊલટો વિચાર ધરાવીને બન્નેને જુદી વ્યક્તિઓ માને છે. ગમે તે હો ! વિજ્જકા એક ઉચ્ચ પ્રકારની કાવ્યશક્તિ ધરાવનારી મહિલા હતી એ નિર્વિવાદ છે.*[૧]

११७–शीला भट्टारिका

નદેવના સુભાષિતમાં એનું નામ લેવામાં આવે છે. ભોજદેવના દરબારને શોભાવતી કવિમંડળીમાં એ હતી એવી દંતકથા પ્રચલિત છે. એક શ્લોકનો પૂર્વાર્ધ ભોજરાજે રચેલો અને ઉત્તરાર્ધ શીલાએ રચેલો મનાય છે. એ શ્લોકને ભર્તૃહરિ શતકમાં પણ સ્થાન મળ્યું છે એટલે વાસ્તવિક હકીકત કળવાનું કામ સહેલું નથી.

શીલા પરમવિદુષી અને સંસ્કારી કવયિત્રી હતી, રાજશેખર કવિએ એની ઘણી પ્રશંસા કરી છે. એ લખે છે કે, “શબ્દ અને અર્થને એક સરખી રીતે ગૂંથ્યાં હોય એને પાંચાલિ રીતિ કહે છે – જો તે શીલા ભટ્ટારિકાની વાણીમાં કે બાણની ઉક્તિમાં હોય તો.”

આવી પ્રસિદ્ધ અને વખણાયેલી નારીની કવિતાનો પરિચય નીચેના શ્લોકમાંથી મળે છે. “હે દૂતિ! તું જુવાન છે અને તે યુવક ચપળ છે, દિશાઓ અંધકારથી કાળી છે, સંદેશો રહસ્યવાળો છે, વળી સંકેતસ્થાન જંગલમાં છે; માટે ફરી ફરીને કહું છું કે આ વસંત પવન મનને બીજી બાજુ લઈ જાય તો, હે નિપુણ દૂતિ ! તું ક્ષેમ સમાગમને માટે જા. દેવતાઓ તારું રક્ષણ કરો.”

બીજા શ્લોકનો ભાવાર્થ આ પ્રમાણે છે, “પ્રિયાના વિરહથી દુઃખી એવા મારા હૃદયમાં આજે ચિંંતાને સ્થાન મળ્યું છે, એમ સમજીને નિદ્રા મને છોડીને ચાલી ગઈ છે. ખરૂંજ છે કે કૃતઘ્નની ઉપાસના કોણ કરે ? ”


  1. * આ તથા મોરિકા અને ફલ્ગુહસ્તિનીનાં ચરિત્રો સ્વ○ સાક્ષર રણજિતરામ વાવાભાઈ મહેતા અને પં. બલદેવ ઉપાધ્યાયના કવયિત્રી સંબંધી લેખ ઉપરથી લખવામાં આવ્યાં છે. –પ્રયોજક