१२५–लीलावती
શાલિવાહન શાકે ૧૯૩૬ (વિ. સંવત ૧૧૭૧)માં કે દક્ષિણ ભારતમાં ભાસ્કરાચાર્ય નામના એક વિદ્વાન પંડિતનો જન્મ થયો હતો. ગણિત અને જ્યોતિષશાસ્ત્રમાં એમણે ઘણી પ્રસિદ્ધિ મેળવી હતી, લીલાવતી એમની કન્યા હતી.
લીલાવતી જ્યારે વિવાહ યોગ્ય થઈ ત્યારે ભાસ્કરાચાર્યે તેના ગ્રહ જોયા. ગ્રહ જોતાં એમને જણાયું કે લીલાવતીના ગ્રહમાં એવો અનિષ્ટ યોગ છે કે પરણ્યા પછી થોડે વર્ષે એ વૈધવ્યને અવશ્ય પ્રાપ્ત થશે.
ભાસ્કરાચાર્ય વિચારમાં પડ્યા. એમણે એવો વિચાર કર્યો કે એવું ઉત્તમ શુભ લગ્ન નિર્ધારીને લીલાવતીનું લગ્ન કરવું કે આ વૈધવ્યદોષ નડે નહિ.
ઘણો વિચાર કરીને તથા ઘણો હિસાબ ગણીને ભાસ્કરાચાર્યે શુભ લગ્ન શોધી કાઢ્યું.
યોગ્ય સમયનો નિર્ણય કરવા સારૂ એવો નિયમ ઠરાવવામાં આવ્યો કે એક નાના ઘડામાં છિદ્ર કરીને એ પાત્રને પાણીમાં તરતું મૂકવું. પાત્રના છિદ્રમાં થઈને જળ પાત્રમાં ભરાતું જાય અને જે ક્ષણે પાત્ર ડૂબી જાય તે મુહૂર્તે લગ્ન કરવું.
આ પ્રમાણે નિર્દિષ્ટ સમયે શુભ મુહુર્તમાં વિવાહ કર્યાથી કન્યા વિધવા નહિ થાય.
ભાસ્કરાચાર્યે વિવાહની તૈયારીઓ કરી. દિવસ નક્કી થયો. સમયનિર્દેશને માટે જળકૂંડીમાં છિદ્રવાળું પાત્ર મૂકવામાં આવ્યું. ઉત્કંઠિત નેત્રે બધા જોવા લાગ્યા કે પાત્ર ક્યારે ડૂબે છે.
કુતૂહલવશ લીલાવતી પણ પાત્રની પાસે બેઠી હતી. એણે