પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

१२७–जयदेवपत्नी पद्मिनी

સાધ્વીનાં માતાપિતા શ્રી જગન્નાથપુરીમાં રહેતાં હતાં. તેના પિતા એક અગ્નિહોત્રી બ્રાહ્મણ હતા. પદ્મિની ઘણી રૂપવતી અને ગુણવતી હતી. તેનો વિવાહ પુરી પાસેના કિંસુરિલ્વ ગામના રહેવાસી જયદેવ કવિ સાથે થયો હતો. જયદેવ કવિ ઘણા પ્રસિદ્ધ અને વિદ્વાન હતા. તેમની સ્ત્રી પદ્મિની પણ ઘણી પતિવ્રતા હતી. પતિ ઉપર તેને ઘણોજ અગાધ પ્રેમ હતો. શ્રીકૃષ્ણની પણ એ પૂરી ભક્ત હતી. જયદેવ કવિ પોતાના ગામના રાજાના આશ્રિત હતા એટલે પદ્મિની પણ વખતોવખત રાજાની રાણીને મળવા અંતઃપુરમાં જતી હતી.

એક વખત રાજાની એક રાણીનો ભાઈ મરી ગયો અને તેની સ્ત્રી તેની પાછળ સતી થઈ ગઈ. એ કૃત્ય માટે રાણી એ સતીની પ્રશંસા કરીને કહેવા લાગીઃ “જુઓ, એ કેવી પતિવ્રતા હતી કે પોતાના પતિની પાછળ બળીને ભસ્મ થઈ ગઈ. આજના જમાનામાં એવી સ્ત્રી બીજી કોઈ નહિ હોય !” ૨ાણીની ખુશામતખોર દાસીઓ હાજી હા કહીને તેની વાતને પુષ્ટિ આપતી ગઈ, પણ પદ્મિનીને એ વાત પસંદ ન પડી, તેથી એ ચુપચાપ બેસી રહી. પદ્મિનીને ચુપચાપ જોઈને રાણીને ગુસ્સો ઊપજ્યો અને તેણે આમ મૌન બેસી રહેવાનું કારણ પૂછ્યું, પદ્મિનીએ હાથ જોડીને વિનયપૂર્વક ઉત્તર આપ્યો “રાણીજી! આપનું કહેવું વાજબી છે, પણ મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે ખરી પતિવ્રતા તો એજ કહેવાય કે જે પતિના મૃત્યુના સમાચાર સાંભળતાંવારજ દેહનો ત્યાગ કરી દે. પતિના મરી ગયા પછી ચિતામાં બળી મરવું એમાં તે શી મોટી વાત છે ?”

પદ્મિનીના આ સ્પષ્ટ જવાબથી રાણી ઘણી અપ્રસન્ન થઈ અને કોઈ પ્રસંગે તેની પરીક્ષા લેવાનો વિચાર કર્યો. એક વખત રાજા

૨૬૦