આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ૠતુ-ગીતો
૬૯
૨૨. ઉનાળાને સમયે જાણે અત્તરની એલી મચી હોય એવી રંગરાગભરી સભા ગામમાં આ કોટીલાઓને ઘેર ભરાય છે. પંખાઓ શરૂ રહે છે. મોજમજાહની લહેરે છૂટે છે. એવી મદભર મજા જૈતમાલ કોટિલો માણે છે.
૨૩.એ રાજાની બંને બાજુએ ભાગ્યવંત યોદ્ધાઓની ઠઠ્ઠ જામે છે. એવી સુંદર કચેરીમાં હુલાસ મચે છે, જળધારાઓ ઝરે છે. યશના ફુવારા છૂટે છે. ગુલાબજળ મહેંકે છે.
૨૪. સારા સારા કવિઓ એ દરબારની પાસે કવિતારૂપી હાર ગૂંથી લાવે છે. એ લોકોને સુકૃત્યવંત કોટિલા પાસેથી ઘોડાંનાં દાન મળે છે. જે કવિ લોકો આ ચાંપરાજના પુત્રને એક વાર પણ યાચે, તેને ઘેર કદી ઉનાળો (દરિદ્રતા) જ નથી આવતો.