આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
નામના ઉત્સવમાં કવિવરને આ અને આવી અન્ય કૃતિઓ બોલી સંભળાવતા નિહાળ્યા ને સાંભળ્યા છે. આ ગીત એમની કૃતિ 'ક્ષનિકા'માં છે.
પરંતુ આવા કલ્પનાવૈભવની આશા આપણે ચારણ કવિ પાસેથી શી રીતે રાખીએ ? કયાં શારદાનાં સમૃદ્ધિ-દાન પામનાર રવીન્દ્રનાથ? ને ક્યાં નિરક્ષર ચારણ! એ કવિને, અથવા તો
આજ મહારાજ જલ પર ઉદય જોઈને
ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે;
સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન
નિજ ગગન માંહી ઉત્કર્ષ પામે,
પિતા! કાલના સર્વ સંતાપ શામે!
ધવલ તવ નેત્ર સામે
એ શરતપૂર્ણિમાનો સાગર પરનો ચંદ્રોદય નિહાળનાર કવિ કાન્ત અથવા તો
ઝીણા ઝરમર વરસે મેઘ
ભીંજે મારી ચુંદડલી !
એટલી લોકગીતની પંક્તિમાંથી
આનંદ કદ ડોલે સુંદરીના વૃંદ ને
મીઠા મૃદંગ પડછંદા રે,
મંદ મંદ હરે મીટડી મયંકની
ડેરે મારા મધુરસચંદા
હો ભીંજે મારી ચુંદડલી ! –ઝીણા૦