પૃષ્ઠ:Rutugeeto.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વ્રજ્જ માધા આવણાં

અર્થ–ચમત્કૃતિ અથવા તો વાસ્તવિક ઋતુવર્ણન વિહોણા ઉપર લખ્યા છંદમાંથી આપણે હવે થોડે ઘણે અંશે એ બન્ને લક્ષણો ધરાવતા એક જૂના કાવ્ય પર આવીએ છીએ. એમાં શબ્દની જમાવટ સંપૂર્ણ નાદવૈભવ નિપજાવનારી હોવા છતાં અર્થની છેક જ આહુતિ નથી અપાઈ. માસે માસનાં ખાસ લક્ષણો ફૂટી ઊઠે છે અને તેમાંથી વિરહોર્મિની વધુ ખિલાવટ થાય છે. ધ્રાંગધ્રા તાબાના સરમડા અથવા પાંડરાતીરથ ગામના રહીશ ગઢવી જીવણ રોહડિયાનો રચેલો આ છંદ છે. એને બસો વર્ષ થયાં કહેવાય છે. જીવણ રોહડિયાનું રચેલું ‘અંગદ–વિષ્ટિ’ નામક છંદોબદ્ધ મહાકાવ્ય પણ પંકાય છે. અહીં ‘આષાઢ’ માસથી કાવ્ય ઊપડે છે. આષાઢથી આરંભ શા માટે ?–તે ચર્ચા પ્રવેશકમાં કરેલી છે. છંદ પણ ‘ગજગતિ’ કહેવાય છે, એટલે કે હાથીની ચાલને મળતી આ છંદની ગતિ છે. વિશેષ વિવરણ પ્રવેશકમાં જડશે. ]

[દોહા]

સુબુદ્ધિ દે [૧]મૂં સરસતી ! ગુણપત [૨]લાગાં પાય;
રાધા માધા મેહ [૩]રત, પ્રણવાં તુજ પસાય.


  1. મને.
  2. લાગુ.
  3. ઋતુ.