પૃષ્ઠ:Rutugeeto.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સતણ વીસળ સંભરે

[રાધા–કૃષ્ણની વિરહ–બારમાસીના ત્રણ નમૂના તપાસીને હવે આપણે બારબાસી–ઋતુગીતોના બીજા પ્રકાર પર આવીએ છીએ. એને ‘મરસિયા’ કહેવામાં આવે છે. પોતાના વિદેહ થયેલા મિત્ર અથવા દાતાને સંભારી સંભારી પ્રત્યેક માસ અથવા ઋતુની શોભા ગાવાની આ રીતિ ઘણાં ઘણાં ચારણ, ભાટ કે મીર કવિઓએ અંગીકાર કરી છે. એમાં આલેખનની વિવિધતા અને ભાવોર્મિની તાકાત વધુ પ્રમાણમાં વિલસે છે.

આ પહેલા ‘મરસિયા’ કીડીઆ ગામના મીર કાના મનજી ઉદિયાએ જાંબુ ગામના ચારણુ માલા જામના મૃત પુત્ર વીસળના વિરહમાં આશરે એક સો વર્ષ પૂર્વે ગાયા મનાય છે. એમાં ઋતુઓની વિશિષ્ટતાઓ સોરઠી જીવનને સુસંગત થઈ પડે તેવી રીતે અંકાયેલી છે. ]

આષાઢ

ગહકે મેરા ગરવરે,
સજે વાદળ સામાઢ;
ધર ઉપર જાબુંધણી !
આઈ રત આસાઢ.