પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાહિત્યને ઓવારેથી
 

 કારણ કે પ્રોફેસરો પાસેથી આપણે ઘણું ઘણું માગીએ છીએ. આપણા સાહિત્ય અને સંસ્કારભંડારને સમૃદ્ધ કરનાર પ્રોફેસર આપણી પાસે છેક ઓછા તો નથી જ. બન્ને ધ્રુવો અને ન્હાનાલાલ તો આપણા પરમ પૂજ્ય પ્રોફેસરો છે જ, પરંતુ આપણી નજર પ્રો. અતિસુખશંકર, પ્રો. મેહનલાલ દવે, પ્રો. કાન્તિલાલ, પ્રો. રમણલાલ યાજ્ઞિક, પ્રો. પાઠકજી, પ્રો. જ્યોતિ મહેતા, પ્રો. ચતુરભાઈ પટેલ, પ્રો. રમણિક ત્રિવેદી,પ્રો. વ્યાસ. પ્રો. વિષ્ણુપ્રસાદ ને પ્રો. વિજ્યરાય જેવા ઉતાવળી દૃષ્ટિને પણ દેખાઈ આવતા સંસ્કારનેતાઓ ઉપર પડે એમાં કાંઈ આશ્ચર્ય છે ? એમની પાસેથી આપણને કેટલું બધું મળે એમ છે ? અને એ કેટલા બધા છે ?

પ્રો. શંકરલાલ શાસ્ત્રીને ધર્મપાલન અથે તો અભિનંદન આપું છું જ; પરંતુ એક સામાન્ય વાચકની દૃષ્ટિએ સાહિત્ય–ઈતિહાસની સુંદર નેતૃત્વ ચિત્રાવલી આપવા માટે પણ હું તેમને અભિનંદન આપું છું. આવાં વ્યક્તિ અને સાહિત્યકૃતિઓનાં અવલોકનો આપણે ત્યાં ઘણાં ઓછાં છે.

તા. ૧૨ ફેબ્રુઆરી, ૧૯૩૮
વડોદરા
રમણલાલ વસંતલાલ દેસાઈ
}