પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાહિત્યને ઓવારેથી
 


ચિત્ર વગેરેમાં યથાવકાશ સુધારો કરવામાં આવ્યો છે. કેટલાક શુભેચ્છક મિત્રોએ પણ આ આવૃત્તિ માટે જે કીમતી સૂચનાઓ કરી અને સ્હાય આપી છે, તે માટે હું તેમને આભારી છું.

પ્રથમ આવૃત્તિ પ્રગટ થયા પછી દી. બ. કેશવલાલભાઈ, દી. બ. નર્મદાશંકર ને મોતીભાઈ અમીનના દુઃખદ અવસાનની પણ અહીં સખેદ નોંધ લેવામાં આવે છે.

અંતમાં, પુસ્તક આટલું નિયમિત પ્રગટ કરવા માટે આ આવૃત્તિના પ્રકાશક એન. એમ. ત્રિપાઠી એન્ડ કંપનીના ઉત્સાહી વ્યવસ્થાપક શ્રીયુત પી. જે. પંડ્યાને, અને અમદાવાદના ડાયમંડ પ્રેસના ખંતીલા માલીક શ્રી. પોપટલાલ પરીખને ખરેખર ધન્યવાદ ઘટે છે.


અમદાવાદ,
જ્યેષ્ઠ કૃષ્ણપક્ષ ૮, સં. ૧૯૯૫

શંકરલાલ ગં. શાસ્ત્રી
}