પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના

વર્ષોથી આ લેખકને કેટલાયે વિદ્યમાન ને વિદેહી સાક્ષરો તથા સર્જકો સાહિત્યસરોવરના જળમાં તરતા ને વિહાર કરતા દેખાય છે. અશ્રદ્ધા ને આશંકાને લીધે જળમાં ઉતર્યા વિના લેખક પગથીયા ઉપર જ ઉભા રહીને તેમને અવલોકવાના અને અર્ધ્ય આપવાના પ્રસંગ સાધે છે, ને તે રીતે અદ્ભુત આનંદ મેળવે છે. એવાં આ અવલોકનો ને અર્ધ્યો આજે પુસ્તક રૂપે સંગૃહીત થઈને જાહેર જનતા આગળ રજુ કરવામાં આવે છે.

પ્રસ્તુત પુસ્તકનું સ્વરૂપ હજુ ખુલાસાના બે વિશેષ બોલની અપેક્ષા રાખે છે. આમાંના કેટલાક લેખ આજથી સાતેક વર્ષ ઉપર ‘પ્રસ્થાન’માં તેના વિદ્વાન ને સદ્ભાવશીલ તંત્રી શ્રી. રામનારાયણ પાઠકની મમતાને લીધે પ્રસિદ્ધિ પામ્યા હતા. ત્યારથી આ લેખકની આવી પ્રવૃત્તિ અવારનવાર ચાલુજ રહેલી છે. પ્રસિદ્ધ થયેલા કેટલાક લેખો વિષેનાં સ્નેહીઓ અને શુભેચ્છકોનાં પ્રશંસાત્મક વચનોએ આ લેખકને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે, અને તેથી જ તે આજે ઉત્તેજિત થઈને આ લેખસંગ્રહ પ્રગટ કરે છે.

અગાઉ પ્રસિદ્ધ થયેલા કેટલાક લેખોમાં મેં ઘણો સુધારો વધારે કરીને તેમને અદ્યતન બનાવ્યા છે; અને અન્ય નવીન લેખો પણ તૈયાર કરી અત્ર ઉમેરવામાં આવ્યા છે. પ્રથમ ખંડના લેખોમાં અવલોકનો વડે લેખકે નવયુગના યુવકમાનસનો જ નિતાન્ત નિખાલસતાથી પડઘો પાડવા પ્રયત્ન