પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રસ્તાવના
 


અને શૈલી પર કેવું બન્યું છે તેનો નિર્ણય તો સહૃદય વાચકોએ જ કરવો રહ્યો. વિદ્વાન વિવેચકોની કસોટીએ ચઢીને આ કૃતિ જો તેમને સંતોષ ઉપજાવશે, તો લેખક પોતાનો શ્રમ સફળ થયેલો માનશે એટલું જ નહિ, પણ ભવિષ્યમાં ‘સાહિત્યને ઓવારે’ થી આવી કે અન્ય કોઈ વિશિષ્ટ પ્રવૃત્તિ કરવા ય પ્રયત્નશીલ બનશે.

શ્રી. ભાવનગર દરબારની ગ્રંથોત્તેજક સમિતિએ આ સાહિત્યસેવામાં અત્યંત ઉત્સાહ પ્રેરીને મને જે ઉદાર મદદ કરી છે, તે માટે હું નામદાર ભાવનગર દરબારનો અત્ર અંતઃકરણપૂર્વક આભાર માનું છું.

વળી, પ્રથમથી જ ‘સોલ એજન્ટ’ થવાની તૈયારી દાખવી પ્રસ્તુત પુસ્તકના કાર્યને અતિસરલ બનાવનાર વડોદરાના ‘પુસ્તકાલય સહાયક સહકારી મંડળ લિ.’નો આભાર માનવાનું હું વિસરી શકું જ નહિ. મંડળના આવા સક્રિય અને ત્વરિત સહકાર માટે હું તેની કાર્યવાહક સમિતિનો, અને વિશેષમાં તેના અધ્યક્ષનો અત્રે ઉપકાર માનું છું.

આ પુસ્તકનું આદિવચન લખી આપવાની તસ્દી લેઈ મને સવિશેષ પ્રોત્સાહન આપનાર ગુજરાતના જાણીતા નવલકથાકાર શ્રી. રમણલાલ વ. દેસાઈનો પણ હું અત્ર ઉપકાર માનું છું. વળી ફુરસદની વિરલ પળોમાં આ પુસ્તકને વાંચી જઈ સહાનુભૂતિભર્યો અભિપ્રાય – કે જે પુસ્તકના જેકેટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે – લખી મોકલવા માટે આપણા વયોવૃદ્ધ વિદ્વાન દી. બ. કૃષ્ણલાલ ઝવેરી સાહેબ, તથા કાર્યોત્સાહે નિત્ય નવજુવાન લાગતા આપણા સમર્થ સાહિત્યસ્રષ્ટા અને સમાલોચક શ્રી. કનૈયાલાલ મુનશી તરફ હું સહૃદય કૃતજ્ઞતા દાખવું છું.