પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૬
સાહિત્યને ઓવારેથી
 


આવા લોકસેવકની કાર્યપદ્ધતિ જાણવી અને કાર્યની ગુણવત્તા માપવા પ્રયત્ન કરવો તે જનહિત માટે આવશ્યક અને ઉપકારક છે. શાંત અને મૂક રીતે શ્રી. મોતીભાઈએ જાહેર કાર્યનો આરંભ કર્યો છે, ને તેને વેગ આપ્યો છે. ઓલીવેર વેન્ડલ હોમ્સની નીચેની પંક્તિઓ તેમના સ્વભાવનું આ લક્ષણ બહુ ઉચિત રીતે પ્રકટ કરે છે:
“The noblest service comes from nameless hands, And the best servant does his work unseen.”
જાહેરાત કે કીર્તિ કાજે નહિ, પણ કેવળ કર્તવ્યપાલનના સંતોષ ખાતર જ તેમણે અનેક જાહેર પ્રવૃત્તિઓ આરંભી છે ને વિકસાવી છે; અને માર્ગમાં આવતાં વિઘ્નોને વિદારી ધ્યેયપ્રાપ્તિ માટે અખૂટ ઉત્સાહ ને નિતાન્ત કર્તવ્યભક્તિ દાખવી છે. એકનિષ્ઠા તથા પ્રમાણિકતા તો તેમની સર્વ સાર્વજનિક પ્રવૃત્તિઓની સફળતાની ચાવી સમાન છે. છતાં આટલી શક્તિઓ ને ગુણો ધરાવતી તેમના જેવી વ્યક્તિને હંમેશાં જ કાંઈ વિજય નથી મળતો. આનું કારણ ગામડાનું સાર્વજનિક કાર્ય કરવામાં આડે આવતી મુશ્કેલીઓનો પ્રત્યક્ષ અનુભવ કરનારને જ સમજાય. શ્રી. અમીનનો કર્તવ્યપ્રદેશ મોટામોટાં શહેરો નહિ, પણ ચરોતરનાં નાનાં મોટાં ગામડાં જ છે. ગ્રામવાસીઓ સાદા છે, નિરક્ષર છે, દેવાદાર છે, દુઃખી છે, રોગગ્રસ્ત છે, ને અનેક સગવડોથી વંચિત છે એ બધુંય ખરું; છતાં ગામડાંની પટેલાઈ સ્વાર્થ, ઈર્ષ્યા, નિરુદ્યોગીપણું અને અપ્રમાણિકતા, આ બધાં સંકુચિત મનોદશા ને આંતરિક કલહને જ જન્મ આપે છે, અને તેને તીવ્ર બનાવે છે. વિરલા અશ્વિનો જ આવા પ્રતિરોધોને હઠાવી શકે. કોઈ એક પ્રશ્ન ઉપર જ્યારે તીવ્ર મતભેદને કારણે