પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સાહિત્યને ઓવારેથી’ : કેટલાક અભિપ્રાયો

“આ વિવેચનગ્રંથ છે, નિબંધાવલી છે, અને જીવનપરાગને ઝીલતી ચરિત્રમાલા પણ છે…… અર્વાચીને તેમજ……ગઈ કાલના સંસ્કારપૂજકો એ સર્વનાં જીવન તેમજ સાહિત્યની ફોરમ પ્રગટાવતી દીલસોજ દૃષ્ટિએ લેખકે આ ચિત્રો આલેખ્યાં છે. આલેખન શૈલીમાં સમત્વ, ગાંભીર્ય અને સહાનુભૂતિભર્યું ગુણાવલોકન છે. નિરૂપણમાં માધુર્ય નિતરે છે, છતાં નરી પ્રશંસા અને કેટલાક પ્રોફેસરનું પંતુજીપણું પૂરવાર કરતી વખાણ–ઘેલછા નથી.” (જન્મભૂમિ)

“સ્વભાવચિત્રો સાથે વિવેચનના સુમેળનું આ પુસ્તક સાફ દૃષ્ટાંત પૂરું પાડે છે.” (જન્મભૂમિની ‘રેડિઓ’ વાતચિતમાંથી)

“લેખકે જીવન અને સાહિત્યને છૂટાં છૂટાં નિરૂપ્યાં છે, અને પરિચય ટૂંકું જીવનચરિત્ર હેય એવો આભાસ કરાવે છે. ગંભીરતા અને ગુણમુગ્ધતાને લીધે લેખકશૈલી શિષ્ટ અને અભ્યાસપૂર્ણ બની છે…… દૂભવવાના લેશમાત્ર આશય વિના, છતાં સત્યદર્શન કરાવવાની સ્હેજ પણ આનાકાની કર્યા વિના તેમણે સૌને ન્યાય કર્યો છે.” (પ્રજાબંધુ)

“આ તમામ લેખોનાં દર્શનથી ગુજરાતની સંસ્કારભૂમિનો અને નેતાઓનો આછો ખ્યાલ તો અવશ્ય આવી જાય છે. આપણે ત્યાં રેખાચિત્રો દોરવાના જે જુદા જુદા પ્રયાસો થયા છે તેમાં આ પ્રવાસ વિશિષ્ટ અને સ્થાયી છાપ પાડે એવો છે…… ગુજરાતના સાહિત્યપ્રેમીઓ આ પુસ્તકને વાંચવાનું રખે વિસરે.” (ગુજરાતી)