પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૦
સાહિત્યને ઓવારેથી
 


“માત્ર માહીતી પૂરતો જ નહિ, પણ સાહિત્યની દૃષ્ટિએ પણ આ ગ્રંથ મહત્ત્વનો છે, અને શિષ્ટ ગદ્યમાં એક સારા પુસ્તકનો ઉમેરો કરે છે……કોલેજના ઉચ્ચ અભ્યાસમાં ઉપયોગી થાય તેવા વિષયના ગ્રંથો આ જ પદ્ધતિએ લખાય એ ઈચ્છવા યોગ્ય છે.” (બુદ્ધિપ્રકાશ)

“એકંદર રીતે જોતાં આ ગ્રંથ માત્ર વિશિષ્ટ પ્રકારનો અભ્યાસગ્રંથ જ નહિ હોતાં જીવનચરિત્રો અને વિવેચનકલાનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે.” (પ્રતાપ)

“પ્રથમ નજરે પણ તેમાં કર્તાના ઉડા અભ્યાસ, અધ્યયન અને અવલોકન સ્પષ્ટ દેખાઈ આવે છે. વિશદતા અને વિચારશીલતા સાથે સ્પષ્ટ વક્તવ્ય ધ્યાન ખેંચે છે. ગુજરાતી સાહિત્યના સંસ્કારસ્વામીઓની આવી આબેહુબ પિછાન આપતા અવલોકનશીલ પરિચયલેખો ગુજરાતને બહુ મળ્યા નથી……આ આખીયે કૃતિ અભ્યાસપૂર્ણ તેમજ અભ્યાસપાત્ર છે.” (હિંદુસ્થાન)

“મનહર રેખાચિત્રો ઉપરાંત ગુજરાતી સાહિત્ય ને સંસ્કારના ઇતિહાસ તથા પ્રવાહનું દિગ્દર્શન કરતાં કરતાં મંત્રમુગ્ધ બની જવાય છે. ભાષાશૈલી એવી શુદ્ધ, સંસ્કારી ને છટાભરી છે કે વિષય સાહિત્યનો છતાં પુસ્તક રસભર્યું, આહ્‌લાદક વાચન પૂરું પાડે છે. પાઠશાળાઓ તેમ પુસ્તકાલયો આ ઉત્તમ કૃતિને વહેલામાં વહેલી તકે વસાવી લે.”(પુસ્તકાલય)

“‘સાહિત્યને ઓવારેથી’ એ સાહિત્યના વિવેચનની જ માત્ર નહિ, પરંતુ સાહિત્યસ્વામીઓનાં મૂલ્યાંકન માટેની સફળ કૃતિ છે. આપણા દરિદ્ર વિવેચનસાહિત્યમાં આ ગ્રંથ મહત્ત્વનો ઉમેરો કરશે.” (નવસૌરાષ્ટ્ર)