પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


અહિંસા:સંસ્કૃતિમાં તેનું સ્થાન

જીવનનાં ત્રણે મર્મ સ્થાનોએ હિંસા સ્પર્શ કરી રહી છે. હજી માનવજીવન એ સ્પર્શથી પૂર્ણ રીતે મુક્ત થયું નથી. પરંતુ એટલું તે ખરું કે જયાં હિંસા પોતાના જબરદસ્ત પંજામાં માનવજીવનને જકડી રહી હતી, ત્યાં હાલ તેની પકડ ધણી ઢીલી થઈ ગઈ છે, અને તેમાંથી મનુષ્ય ધારે તે ક્ષણે છૂટો થઈ શકે એમ છે. હિંસા એ મોટે ભાગે હવે આવશ્યકતા મટી ટેવ અગર શોખના મૃદુ રૂપમાં આજ આપણી સમક્ષ ઊભેલી દેખાય છે. આવશ્યકતામાંથી ટેવ, અને ટેવમાંથી શેાખ, એ ક્રમે ક્રમે પાતળાં પડતાં તેનાં સ્વરૂપેા તેના છેવટના વિલયની આગાહી આપે છે.

હિંંસા સ્પર્શી રહી છે એવાં માનવજાતનાં ત્રણ મર્મ સ્થાનો તે કયાં ? – પોષણ, રક્ષણ અને ઉત્પત્તિ. પ્રગતિનાં બાહ્ય સ્વરૂપોની અતિશય ખીલવણીમાં આ ત્રણ મહાતત્વો વિસરાઈ જવાનો સંભવ છે, પરંતુ તેથી તેમનું મહત્ત્વ જરા પણ ધટતું નથી. સર્વ સંસ્કાર અને સર્વ સુધારાના પાયારૂપે આપણે તેમને સ્વીકાર્યા સિવાય ચાલે એમ નથી, અને જીવનમાં વાણા તાણા તરીકે આ તત્વો એવાં વણાઈ ગયેલાં હેાય છે, કે તેમનું મૂળ સ્વરૂપ આપણે વિસારે નાખીએ છીએ.

વળી એ ત્રણે તત્ત્વો પરસ્પરનાં સહાયક બની એકબીજાને એવો આશ્રય આપે છે કે પરિણામે પોષણ એ રક્ષણ બને છે અને રક્ષણ એ ઉત્પત્તિ બની જાય છે. મનુષ્યજીવનની ભાવનાઓ અને શાસન તંત્રોનાં પૃથક્કરણ કરવા બેસીએ તેા આપણે છેવટે પેાષણ, રક્ષણ અને ઉત્પત્તિનાં તત્ત્વો આગળ આવીને અટકીએ છીએ. પશુસૃષ્ટિ અને માનવજાતનું અહીં સામ્ય છે. પરન્તુ એ તત્ત્વોનો ઉપયાગ કરી આગળ વધવાની શક્તિમાં મનુષ્યની કાંઇક એવી વિશિષ્ટતા રહેલી છે, કે તે તેને બીજા પ્રાણીઓથી નિરાળા પાડી દે છે.

પેાષણ, રક્ષણ અને ઉત્પત્તિ એ ત્રણે પરસ્પરથી છૂટાં ન પડી