પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪ : સાહિત્ય અને ચિંતન
 

વિકસિત કરી વર્તમાન ઔદ્યોગિક જીવનની શરૂઆત કરતી માનવજાત આ પ્રશ્નો સહેલાઈથી ઉકેલી શકે એમ છે.

ખેતી માટે નિરુપયોગી ગણાતી પથરીલી, રેતાળ કે બરફવાળી જમીન ઉપર નિવાસ કરનાર મનુષ્યો માટે કૃષિજીવન શક્ય નથી, અને માંસાહાર તેમને જરૂરનો છે એમ કહેતાં પહેલાં જગતમાં ઉત્પન્ન થતું અનાજનું પ્રમાણ, મનુષ્યને જિંદગી ટકાવી રાખવા માટે જરૂરનું પોષણપ્રમાણ, અને અનાજ લઈ જવા લાવવાની ચાલુ જમાનાની સગવડો એ સર્વનો વિચાર અવશ્ય થવો જોઈએ. મનુષ્યને જીવન ટકાવી રાખવા માટે જરૂરના ખોરાકનું પ્રમાણ એટલુ મર્યાદિત છે કે જગતમાં ઉત્પન્ન થતા અનાજનો વિશાળ જથ્થો તેને પૂરતો થઈ પડે એમ છે. અને જ્યાં પ્રત્યક્ષ ખેતી થઈ શકે એમ નથી એવું માનવામાં આવે છે ત્યાં અન્ય સ્થાનેાએ પાકતુ અનાજ લઈ જવા માટે હાલ એટલાં સાધનો ઉપલબ્ધ છે કે તેમનો યથા ઉપયોગ કરવામાં આવે તો જગતના કોઈપણ ભાગને દુકાળ લાગવાનું પ્રયેાજન નથી. અનાજ એક હાથે (corner) કરી જગતને ભૂખે મારવાના પ્રયત્નમાં ધનાઢ્ય થતા જબરદસ્ત વેપારીઓની લોભવૃત્તિને દાબમાં રાખવા હાલની સરકારો પ્રયત્નશીલ થાય, તે હિંસાની તરફેણમાં રજૂ કરવામાં આવતી આ દલીલ ઊભી રહેવા પામે એમ નથી. વળી જમીન આપે એટલું આપણે લઈ શકીએ છીએ? ભૂમિના વાત્સલ્યની મર્યાદા શું આપણે જોઈ છે ? વિજ્ઞાનવિદો ના પાડે છે. આપણે કલ્પી ન શકીએ એટલો ખારાક આપવા જમીન તૈયાર છે. માત્ર આપણને તે લેતાં હજી પૂરેપૂરુ આવડયું નથી.

જાનવરોનો ભક્ષ કરવામાં નહિ આવે તો તે વધી જશે, એ ડરથી માંસાહાર ચાલુ રાખવાનું જરા પણ કારણ નથી. ખોરાક અર્થે જ કેટલાં પ્રાણીઓ ઉછેરવામાં આવે છે ? ખરું જોતાં જાનવરોની સંખ્યા વધી જાય એવી જગતની સ્થિતિ મનુષ્યે રહેવા દીધી નથી, અને મનુષ્યને હરકત ન કરે એટલું પેાતાનું સંખ્યા પ્રમાણુ સાચવી રાખવા જાનવરો ખાસ કાળજી રાખે છે એ નિ:સંશય વાત છે.

કૃષિજીવન એ અહિંસાનો ત્રીજો અને પોષણના અંગનો આખરનો