પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૪ : સાહિત્ય અને ચિંતન
 

(૨) પરરાજ્યાના આક્રમણમાંથી રક્ષણ,

(૩) આબાદી–સુખસંવર્ધન.

પહેલા ઉદ્દેશ માટે પોલિસ તથા છૂપી પોલીસ, કે રાજકીય પોલિસની સામાન્યત: યોજના થાય છે. સૈન્યરચના બીજા ઉદ્દેશની સાચવણી કરે છે. કૃષિ, ઉદ્યોગ, વ્યાપાર, વણજ, નહેર, માર્ગ, કરવેરા, કેળવણી અને મહેસૂલની શીતળ યોજનાનુ ઘડતર ત્રીજા ઉદ્દેશની સાચવણી કરે છે.

એ ત્રણે ઉદ્દેશ સફળ કરવામાં રાજ્યશાસનનું સ્વરૂપ બહુ મહત્વનો ભાગ ભજવે છે. રાજ્યશાસનનાં ત્રણ સ્વરૂપ :

(૧) વ્યક્તિશાસન – રાજા અને સરમુખત્યાર એ બે સ્વરુપો આપણે મુખ્યત્વે ઓળખીએ છીએ.

(૨) સત્તાધીશ મંડળીનુ રાજ્યશાસન Oligarchy – અમીર, ઉમરાવો અગર દક્ષ ટોળકીઓ દ્વારા થતો રાજ્ય વહીવટ.

(૩) Republic – ગણરાજ્ય-પ્રજાસત્તાક રાજ્ય.

આ ત્રણે રાજ્યશાસનનાં સ્વરૂપોનો અનુભવ માનવજાતે કર્યો છે. ત્રણેના ગુણદોષ માનવજાતે અનુભવ્યા છે. એક સ્વરૂપથી કંટાળતો માનવસમાજ બીજા સ્વરૂપનો અખતરો કરે છે, બીજાથી કંટાળે છે એટલે ત્રીજાનો આશરો લે છે અને ત્રીજાથી કંટાળે એટલે શાસન વર્તુલ નવેસર શરૂ કરે છે. હજી આદર્શ રાજ્યશાસન માનવજાતને જડ્યું નથી. કદાચ આદર્શ માનવ જડશે ત્યારે આદર્શ રાજ્યશાસનનું સ્વરૂપ જડશે.

આ ત્રણે પ્રકારના રાજ્યશાસનના ઉદ્દેશ સિદ્ધ કરવા અર્થે રાજ્ય સત્તા સ્પષ્ટ-અસ્પષ્ટ ઢબે પોતાનાં ત્રણ અંગ ઘડે છે, જે દ્વારા તે પોતાનું જીવન સ્પષ્ટ કરી શકે છે:

(૧)લેજીસ્લેચર – શાસનઘડતર – કાયદાની રચના.

(૨) એક્ઝીયુટીવ – કાયદાનો અમલ કરનાર તંત્ર – પ્રધાનથી માંડી પોલિસ-સિપાઈ અને ગામડાના ચોકિયાત સુધીનો, રાજ્ય સેવક વર્ગ.

(૩) જ્યુડીશ્યરી – ન્યાય શાસન – અદાલતાના સમૂહ, જે