પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૪ : સાહિત્ય અને ચિંતન
 

આ પ્રશ્ન ઉપર જ એક જ દૃષ્ટિથી ઉહાપોહ કરવામાં આવ્યો છે. દુનિયા નવી થતી જાય છે, ભારત નવીન બનતું જાય છે. ભારતીય સ્વરાજ પ્રજાનું પ્રતિનિધિ હોય તો ભારતનાં એલચી મંડળો, પ્રતિનિધિ- મંડળો પણ ભારતીય પ્રજાનાં જ સાચાં પ્રતિનિધિ હોવાં જોઈએ. પરદેશમાં ભારતની કીર્તિ, ગૌરવ, શાખા સંસ્કાર અને સંબંધ સાચવવાનાં રહ્યાં. એ પ્રતિનિધિ મંડળોએ પેાતાને સોંપાયલા પ્રદેશને ઓળખવો પડશે. એ પરદેશની ભાષા, સંસ્કાર-ખાસિયતો, ઇતિહાસ અને વિશિષ્ટ ખામી ખૂબી સમજવાં પડશે, સ્વદેશ અને પરદેશને લાભદાયક અને એવા ઔદ્યોગિક, વ્યાપારી અને સાંસ્કૃતિક સબંધો બાંધવા પડશે, અને જે દેશના પ્રતિનિધિ હોય તે દેશની પ્રજાની છાપ ઝીલીને જ તેમણે પરદેશ ખાતે વસવાટ કરવો ઘટે. સ્વદેશની નીતિ, સ્વદેશની રહેણી- કરણી, સ્વદેશની આવડત સ્વદેશની સભ્યતા, સ્વદેશની છટા, એ સઘળાં તેમણે પરદેશમાં પ્રદર્શિત કરવાનાં છે. એ અંગે પ્રતિનિધિ- મંડળો રાજકારણનું એક મહત્ત્વનું અંગ બની રહે છે,

રાજકારણ સિવાયનાં પ્રતિનિધમંડળોની પણ યોજના સમજવા જેવી છે. છતાં રાજકીય પ્રતિનિધિમંડળો કરતાં તેમનું મહત્ત્વ ગૌણ છે છતાં નૂતન વિશ્વમાં રાજકીય દૃષ્ટિએ ગૌણ લાગતાં સાંસ્કારિક ખેલ, રમત, કલાલક્ષી પ્રતિનિધાનો વધારે મહત્ત્વ ધારણ કર્યે જશે.