પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


માટીનાં માનવી: મિયાણા

ગુજરાત અને કાઠિયાવાડ લોકજાતિઓનું એક સરસ સંગ્રહસ્થાન છે, અભ્યાસીએને… … ખાસ કરીને Anthropologists માનવ વંશના અભ્યાસીએને આજના જીવંત લાકોમાંથી અભ્યાસનાં ઘણાં સારાં સાધનો મળી આવશે. એમાં ઊંચામાં ઊંચી સસ્કારી કોમો પણ છે અને ગુન્હા કરતી સ્થિર કે ભટકતી જાતો પણ વસે છે. ગુન્હાની દૃષ્ટિએ ઓળખાતી કોમમાં મિયાણા કોમ બહુ આગળપડતી છે.

દુનિયામાં સારું અને ખોટું એ બે પ્રવાહ ચાલ્યા જ કરે છે. સમાજે જીવનનાં કેટલાંક ધોરણો નક્કી કર્યા છે. જે ધોરણો પાળીને જીવન ગુજારતો હોય તે સારો કહેવાય અને ધોરણ બહાર જઈને જીવન ગુજારતો હોય તે ખોટો, ખરાબ અને ગુન્હેગાર પણ કહેવાય.

આવી એક ગુન્હેગાર ગણાતી કોમ મિયાણીની. આપણે જેને ગુન્હેગાર ગણીએ તે કોમો ખરેખર ગુન્હામાં ટેવાયલી કોમ હોય છે. અને ઘણાં સમાજવિરોધી કાર્યોમાં તે રોકાયલી રહે છે. એ રીતે આવી કોમો સમાજ ઉપર ભારણરૂપ છે અને તેમને માટે ખાસ કાયદાઓ, ખાસ વહીવટી ગેાઠવણો અને વિશેષ પ્રકારના ઉપચારો કરવા પડે છે, જેમાં મોટા ભાગનો બોજો પેાલીસ ખાતાને માથે આવી પડે છે. કબજે રાખવા અને સુધારવા માટેનાં પગલાંનો અભ્યાસ કરવો પડે છે.

એ અભ્યાસમાં એટલું પણ જણાઈ આવ્યું કે આવી કોમો સમાજ વિરાધી કાર્યો કરે છે ખરી. છતાં તેમની બુદ્ધિ, શક્તિ, યુક્તિ અને તેમના કેટલાક સિદ્ધાંતો ઘણી વાર સમાજનું માન મેળવે એવા પ્રકારનાં હોય છે. એટલે ગુન્હાઈત જાત માત્ર તરછોડવા જેવી, તિરસ્કારવા જેવી કે નાબુદ કરવા જેવી નથી. તેમના સારા ગુણો ચાલુ રહે અને તેમની ગુન્હાઈત વૃત્તિ ઘટતી જાય એવી વ્યવસ્થા રાજ્યે અને સમાજે કરવી જોઈએ. માટે આવી કોમોનો અભ્યાસ બહુ ઉપયોગી થઈ પડે છે.