પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નવલકથા

[૧]

નવલકથાનો વિવિધ ઢબે વિચાર થઈ શકે. ઐતિહાસિક દષ્ટિ

આજના યુગને ઠીક અનુકૂળ પડી છે, તે દષ્ટિએ પ્રથમ તો નવલકથાની વ્યાખ્યા લઈએ. નવલકથા એટલે તત્ત્વતઃ વાર્તા. બની ગયેલા –અગર બની ગયા એમ ધારી લીધેલા પ્રસંગનું કથન એ વાર્તા. એ તેની સાદામાં સાદી વ્યાખ્યા.

વાર્તાનો રસ માણસને બીજા બધા માનસિક રસ પહેલાં જાગે છે. બાળક જરા સમજવા માંડે ત્યારથી માંડી તે મોટું થાય અને વૃદ્ધ બને ત્યાં સુધી તેને વાર્તાનો રસ રહે છે. ઘણા જુવાનીઆઓને લાગે છે કે આપણા વૃદ્ધોની આપણને બહુ જરૂર નથી; કેમકે તેઓ શક્તિ વિનાના થઈ ગયા છે, અને તેથી જીવવા માટે અપાત્ર છે. તેઓ એવો પણ ભાવ ધરાવતા હશે કે વૃદ્ધો આપણને આગળ વધતા અટકાવે છે. અને સમાજને પીછેહઠ કરાવે છે. પણ આપણે બાળકોને પૂછીશું તો તેઓ કાંઈ જાદુ જ કહેશે. તેઓ તો કહેશે કે વૃદ્ધો ગમે તેવા હશે તો પણ તેમને ખૂબ જીવવા દો. આનું કારણ કે તેઓ બાળકોને વાર્તાઓ કહી બાળકોના જીવનનો ભાર હળવો કરી જાણે છે, એટલું જ નહિં; જીવનના નવપ્રવાસી બાળકોને નવજીવનનું ભાથું ભરી આપે છે. એ વૃદ્ધોની વાર્તાઓમાં હું સાહિત્ય અને શિક્ષણ જોઉં છું.

બાલ્યાવસ્થાથી ઊંચે જતાં કોલેજમાં ભણતા વિદ્યાર્થીનો પ્રશ્ન લઈએ. તેઓને પણ વાર્તા સાંભળવાની ઈચ્છા હંમેશ રહે છે જ -જો કે ચકલાચકલીની વાર્તા બાળકોની લઢણે તેમને પંસદ ન પડે. પણ એ નાની વાર્તાની ફિલસૂફી અને રસ મોટા પુરુષોને ઉપયોગી જરૂર થઈ પડે છે. બાળકોનાં ચકલા ચકલી જોતજોતામાં યુવક યુવતી બની જાય છે. આ પણ યુવકજગતનું એક સત્ય વિચારવા જેવું છે.

ઉંમર વધતાં આપણે વાર્તાનું ઉચ્ચાલન fulcrum-pivot-