પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮ : સાહિત્ય અને ચિંતન
 

ઐતિહાસિક નવલકથા.

(૨) એ ચોખ્ખો ઈતિહાસ નહિં; ઈતિહાસ તરીકે તે લખાયેલી નહિ પરંતુ ઇતિહાસનું આછું પડ એ નવલકથા ઉપર પથરાઈ ગયેલું હોવું જોઈએ. માર્ગસ્તંભો ઈતિહાસના ખરા; પરંતુ એ માર્ગસ્તંભોની વચ્ચે આખું આકાશ પાતાળ નવલકથાને વિકસવા માટે ઉપયોગમાં લઈ શકાય.

(૩) પ્રખ્યાત, રૂઢિથી નિશ્ચિત થઈ ચૂકેલાં પાત્રો સાથે ઐતિહસિક નવલકથામાં છૂટ ન લઈ શકાય. પરંતુ એટલી મર્યાદા બાંધી લઈને નવલકથાને યોગ્ય બીજી બધી રમતો એમાં રમી શકાય. સ્થિર થયેલાં ઐતિહાસિક પાત્રોને ઈતિહાસની સ્પષ્ટતા કરવા પૂરતાં માનપૂર્વક આછાં આછાં ચીતરી એને બાજુએ મૂકવાં જોઈએ, અને તેમને પડખે કલ્પિત કે અર્ધ- કલ્પિત પાત્રોની ગૂંથણી કરવી જોઈએ. એમાં કથા અનૈતિહાસિક બની ન જાય,

(૪) ઐતિહાસિક નવલકથામાં કાળ, સમય, તારીખોને એક બાજુએ ન મુકાય. ૧૮૫૭ ના બળવાને એક સદી પહેલાં કે એક સદી પછી મૂકી શકાય નહિ. એ વખતના ગવર્નર જનરલને બદલે બીજો ગવર્નર જનરલ મૂકી શકાય નહિ–જોકે એવાં ઈતહાસસિદ્ધ થઈ ચૂકેલાં પાત્રો સિવાયનાં બીજા અંગ્રેજ સ્ત્રીપુરુષો જરૂર ચીતરી શકાય. પેશ્વા શિવાજી પછી જ આવે. બાજીરાવને સંભાજીની પહેલાં ઐતિહાસિક નવલકથામાં મૂકી શકાય નહિ.

(૫) ઈતિહાસનો આવો તદ્દન અનાદર ઐતિહાસિક નવલકથામાં શક્ય નથી. તેમ થાય તો તે ઐતિહાસિક નવલકથા મટી જઈ “ઉટંગ” વાર્તા બની જાય કે અદ્દભુત રસની વાર્તા બને.

(૬) ઐતિહાસિક નવલકથામાં જે તે સમયના પ્રસંગનું, વાતાવરણનું, આચારવિચારનું, પોષાકનું અને આયુધોનું ઘટિત વર્ણન હોવું જોઈએ.

(૭) આટલી મર્યાદાઓ આંક્યા પછી ઐતિહાસિક નવલકથામાં