પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


નવતર સાહિત્યનાં પ્રેરકબળો

આપણું નવતર સાહિત્ય લગભગ ઓગણીસમી સદીના મધ્ય ભાગથી શરૂ થયું. કાવે ક્લપતરામ અને કવિ નર્મદાશંકર સને ૧૮૨૦ અને ૧૯૩૩માં જન્મ્યા. એ બન્ને આપણા નવત્તર સાહિત્યના આદ્ય સાહિત્યકારો.

અંગ્રેજોનો વિજય, પશ્ચિમ સંસ્કૃતિની શિષ્ટતા અને ઝળકાટ તેમને પડછે હિંદી સંસ્કૃતિની ઊતરતી લાગતી કક્ષા, ધર્મનું વહેમમાં થયેલું પરિવર્તન, બાળલગ્ન, વિધવાવિવાહ – નિષેધ, પરદેશ ગમનનો વિરોધ, અને સાંસારિક કુરૂઢિઓનું તીવ્ર ભાન એ નર્મદ – દલપત યુગના સાહિત્યમાં પ્રેરકબળ ગણી શકાય. દલપતને અંગ્રેજોનો સંસર્ગ હતો; અંગ્રેજી ભાષાનો નહીં, નર્મદને અગ્રેજી ભાષાનો પરિચય હતો; જો કે બહુ ઊંડો નહિ. અંગ્રેજોનો વિજય એ ઈશ્વરપ્રેરિત તત્ત્વ મનાયું; કારણ, મુગલાઈ અને મરાઠી રિયાસતના પતન સમયે ઉદ્ભવેલી અશાંતિથી જનતા ખરેખર કંટાળી ગઈ હતી.

સાથે સાથે દેશાભિમાનના પ્રાથમિક અંકુર આદ્ય સાહિત્યમાં પણ સારા પ્રમાણમાં ખીલી નીકળ્યા હતા. નર્મદની હિંદુઓની પડતીનુ કાવ્ય અને દલપતની હુન્નરખનની ચડાઈ દેશાભિમાનના નમૂનારૂપ ગણી શકાય.

એ પ્રાથમિક સાહિત્યમાં નાટકો પણ લખાયાં, નિબંધો પણ શરુ થયા, કાવ્યોએ ધર્માંના વાડા છોડી સામાજિક અને રાજકીય મેદાનમાં પ્રવેશ કર્યો અને નર્મદનાં કવિચરિત્રો અને જગત ઈતિહાસ પણ નૂતન સાહિત્યનાં સારાં દષ્ટાંતરૂપ કહી શકાય. ગદ્યનો વિકાસ થયો અને સાહિત્યના વાહન તરીકે તેના સ્વીકાર થયો એ અત્યંત મહત્વનું તત્વ ગણી શકાય.

સામાજિક નવલકથા-સાસુ વહુની લડાઈ અને ઐતિહાસિક નવલકથા કરણઘેલો પણ નર્મદ–દલપત યુગના જ સાહિત્યપ્રયોગો