પૃષ્ઠ:Samarangan.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સોહાગની રાત
87
 

 "ઊઠવાની જરૂર નથી.”

“કેમ ?”

“જાગતી જ રહીશ ને !”

“જાગશો તો હવે શરીર ક્યાંથી ઝીંક ઝાલશે ? એમ કરો. હવે તમે આ કષ્ટાઈ છોડો. હું મારી જાતે પહેરી લઈશ.”

“ના, એટલી દયા છે તે તો ન જ ભૂંસી નાખતા. કષ્ટાઈ મને કાંઈ નથી.”

વજીર પોતાના સૂવાના ઓરડા તરફ ચાલ્યા. પાછી વળતી પત્નીને એણે કહ્યું : “મને ઓઢાડતાં જશો ?”

આજ સત્તર વર્ષોથી જે શયનગૃહમાં પગ મૂકવાનો અધિકાર પણ ખૂંચવાઈ ગયો હતો તે એકાએક પાછો મળવાનું કારણ વૃદ્ધા તાગી ન શકી. પાછળપાછળ ચાલી ગઈ. વજીરે પલંગ પર પડ્યેપડ્યે જંજરીની ઘૂંટો લીધા કરી. વજીરાણી ઊભાં થઈ રહ્યાં.

“બેસો, થોડીક વાર લાગશે. હં હં, નીચે નહિ, આંહીં ઢોલિયે જ બેસો,”

જંજરી પીવાઈ રહી ત્યાં સુધી બેમાંથી કોઈ બોલ્યું નહિ. જંજરી એકલી જ બેઉને જાણે કે મનાવતી મનાવતી ટૌકા કરતી હતી. જંજરીના ટૌકાર પૂરા થયા. વજીરાણીએ જંજરી દૂર મૂકી. પછી એ જ્યારે સ્વામીને રજાઈ ઓઢાડવા ગઈ ત્યાં સ્વામીએ એને બાથમાં લઈને ખેંચતા ખેંચતાં કહ્યું : “મારે તો આ રજાઈ ઓઢવી હતી.”

એક જ ક્ષણ પોતાની જાતને ખેંચાવી દીધા પછી વજીરનો હાથ છોડાવીને વૃદ્ધા ચાલી ગઈ, અને બહારથી બારણું બંધ કરતાં પહેલાં એણે ધીરે રવે એટલું જ કહ્યું કે “મને જોરારને...”

અભિમાન તૃપ્ત થયું. જખ્મ પર શાતા વળી ગઈ. વિજયનું ભાન થયું. હવે પછીનું પ્રભાત આ સુખને ક્યાંઈક નંદવી નાખશે તો નહિ ને ! જીવનની છેલ્લી રાત આજે જ ખલ્લાસ થાય તો ?

સુખનો એ ભાવ ઊપડેલી વેળ્યના મોજાની માફક એક જ પળમાં