પૃષ્ઠ:Samarangan.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
186
સમરાંગણ
 

 વિદ્યાએ સુઝાડ્યું છે, તે મને મારી આત્મસાક્ષીએ સૂઝી ચૂક્યું હતું.”

“પ્રારબ્ધ કોઈને છોડતું નથી, વૃદ્ધ સૈનિક !”

“મને એનો સંતાપ નથી, મહારાજ. સંતાપ હોય તો તે માત્ર એક જ છે. આજ સુધી નહોતો લાગ્યો, આજે લાગે છે.”

“વાત કરશો ?”

“આ નિસ્તેજ આંખો છેલ્લુકી વાર બિડાતી બિડાતી જો રણસંગ્રામમાં એક જ વાત જોઈ શકી હોત ને –”

“શું જોવાના મનોરથ હતા ?”

“જિંદગીભર જેણે સિપાઈગીરી જ ખેંચી છે, તેને બીજો તો શો મહાન મનોરથ હોય ? પેટનો બેટો ઝૂઝતો હોત, ને એને છાતીના ઘાવ ઝીલતો નિહાળી પ્રાણ છોડવાનું પ્રારબ્ધમાં લખ્યું હોત...”

વૃદ્ધ આંખોની સફેદ પાંપણો ધીરેધીરે પલળવા લાગી.

“તમે ઉગ્રભાગી છો, વજીર, કે તમને અંતકાળનો આવો કલ્યાણમૂર્તિ આદર્શ સૂઝે છે. તમે પિંડ દેનારો પામ્યા જ નથી એ મને ખબર નહોતી.”

“પામ્યો તો હતો.”

“ગુજરી ગયો ? બહુ વહેલાં ?”

“ના, ગુમ થયો છે.”

“ક્યારે ?” સાધુ ચમકી ઊઠ્યા.

“વર્ષો વીત્યાં. હું વીસરી પણ ગયો હતો.”

“ધારણા રાખો, વજીર બંધુ ! ભગવાન બડા કિરપાલુ છે. આંહીં નહિ તો અન્યત્ર પણ તમારા જ પિતૃત્વને ઉજાળતો હશે.”

“ના, ના, એવો એ નહોતો. એનામાં એવી કોઈ રતી જ નહોતી. ચિત્તભ્રમિત જેવો હતો. ક્યાંય રખડી-રવડી ખતમ થયો હશે.”

“કલ્યાણમયી તમારી જે સિપાઈગીરી, તેનું ફળ દુર્ગતિને પામે જ નહિ, જેસાભાઈ, પરમેશ્વરમાં વિશ્વાસ રાખો.”

‘દુર્ગતિને પામે નહિ' એ બોલથી વજીરના આસ્થાળુ હૃદયમાં એક