પૃષ્ઠ:Samarangan.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
‘રહીમ ! રહીમ !’
201
 


સીમાડા છોડી શકીશ.”

“એનો જવાબ, ચાલો, પ્રત્યક્ષ બતાવું.”

મુઝફ્ફરને લઈ અજોજી વહેલે ભળકડે આશાપુરાના મંદિર પર ગયા. ઝોકાર દીવા થાનકમાં જલે છે. માતાની મૂર્તિ પર ચકચક થતી દીવાની જ્યોત મૂર્તિની આંખોમાં લાલ પ્રતિબિમ્બ પાડી રહેલ છે. એની સામે એક પુરુષ હાથમાં માળા ધરીને એક પગે ઊભોઊભો ઉપાસના કરે છે : નીચે પાઘ અને તલવાર પગ સામે જ પડેલ છે. ઉપાસકના ગર્દન-ઢળકતા શિરકેશ સાવ શ્વેત છે. જેની પીઠ જોતાં પણ સારી પેઠે વાર લાગે, તેનો ચહેરો ને મોરો, તેની છાતી ને સીનો કેવાં હશે ?

“મારા પિતાજી.” અજા જામે ઉપાસકને ઓળખાવ્યા.

“અત્યારે ?”

“આખી રાત : છેલ્લા પંદર દિનથી રોજેરોજ.”

“શું કરે છે ?”

“ટેક અને ઈમાનદારીનું જતન માગે છે અમારી ઇષ્ટદેવી મા આશાપરા આગળ.”

“ત્યારે તો એમની નાખુશીની વાત ખોટી ?”

“આજે તો એના સરીખો કોઈ યુદ્ધઘેલડો અમારા નગરમાં નથી. એ શું જપે છે, જાણો છો ? રાવણનું શિવસ્તોત્ર અને ચંડીના છંદ : બેઉ શૌર્યપ્રેરક ગાથાઓ. એણે રાણીવાસમાં જવાનું છોડ્યું છે. પેટનાં ફરજંદોને પણ એ પાસે આવવા દઈ રમાડતા નથી. યુદ્ધ ! યુદ્ધ ! બસ યુદ્ધનો જ ઉન્માદ પી રહ્યા છે. કલેજું લોખંડનું કરવા મથે છે.”

“પણ આપની તાકાતનો સવાલ..”

“પતી ગયો છે. અમારી સખાતે અણગણ ફોજો ઠેકઠેકાણેથી વહેતી થઈ છે. આપ આંહીં સુખેથી રહો.”

“મારે ખાતર આટલું બધું ?”

“આપને ખાતર કરવાનું નથી રહ્યું. હવે તો મામલો વીફરી ગયો છે. અમારા ખુદના જ જીવસટોસટની વાત છે. ને વિજય હવે અફર